7 નવેમ્બરથી ભાજપ 3 ફેઝમાં મતદારો સાથે સીધો સંપર્ક સાધવા માટે પ્લાન ઘડી રહી છે. આ પ્લાનમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરેકે-દરેક મતદારોનાં ઘરે જઈને તેમનો સંપર્ક સાધવામાં આવશે. આ કાર્યક્રમના શ્રીગણેશ અમિત શાહની સૌરાષ્ટ્ર યાત્રા સાથે શરુ થશે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ચૂંટણી યોજાય તે પહેલા ભાજપના કાર્યકરો વિસ્તારના દરેક દરેક ઘરની ઓછામાં ઓછી 3 વખત મુલાકાત લેશે.
અમિત શાહ પણ સૌરાષ્ટ્રની મુલાકાતે 3 દિવસ માટે આવશે. તેમની આ મુલાકાત દરમિયાન તેઓ ભાજપના કાર્યકર્તા અને ઉચ્ચ પદધારકોને મળશે. સૌરાષ્ટ્ર ભાજપના ગઢ સમાન રહ્યું છે પરંતુ પાટીદાર આંદોલન, નોટબંધી અને GSTની સહિયારી અસરને દૂર કરવા માટે પાર્ટીના કાર્યકરો દિવસ-રાત પ્રયત્નો કરી રહ્યા છે. વર્ષ 2015માં યોજાયેલી મ્યુનિસિપલ ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનને કારણે સ્થાનિક ચૂંટણીમાં ઘણી સીટો ગુમાવવી પડી હતી.
અત્યારેતો પાર્ટી વધારેમાં વધારે ફાયદો થાય તે દિશામાં કામ કરી રહી છે. મોટા ભાગનાં કાર્યકર્તાઓ રાત-દિવસ કામ કરવામાં લાગી ગયા છે.