ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલાં કોંગ્રેસે ઓબીસી અને આદિવાસીને પ્રમુખ અને વિધાનસભાના નેતા બનાવ્યા બાદ કોંગ્રેસ ખામ થિયરી પર પાછી વળી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે ગુજરાતમાં આવનાર દિવસોમાં જ્ઞાતિ અને જાતિ આધારિત રાજકારણનું જોર વધારે પ્રમાણમાં જોવા મળશે. કોંગ્રેસની ખામ થિયરીમાં સામે ભાજપ ફાક થિયરી પર ચાલશે એવું માનવામાં આવે છે.
ગુજરાતમાં 1960થી જ્યારે પણ વધારે મતદાન થયું છે ત્યારે સત્તા પલટાઇ છે. 1960માં ગુજરાતની રચના પછી 1962માં પહેલી ચૂંટણીમાં 57.97 ટકા મતદાન થયું હતું.
1967માં 63.70 ટકા મતદાન થયું હતું અને કોંગ્રેસ સત્તા પર આવી હતી. 1972માં મતદાન ઘટ્યું અને 58.11 ટકા થયું પણ કોંગ્રેસ રહી. ત્યારબાદ 1975માં 60.37 ટકા મતદાન થયું અને પહેલી વાર કોંગ્રેસ સિવાયની જનતા મોરચા સરકાર બની. 1980માં 48.37 ટકા અને 1985માં 48.82 ટકા મતદાન થયું અને કોંગ્રેસની સરકાર આવી.
આ ચૂંટણી એટલા માટે યાદ રખાય છે કે જ્ઞાતિવાદની ખામ (KHAM ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ) થિયરીથી 1985માં 149 સીટ સાથે કોંગ્રેસ સત્તામાં આવી તે રેકોર્ડ હજી સુધી કોઈ તોડી શક્યું નથી. એ પછી ભાજપ અને કોંગ્રેસ ભેગા મળીને 1990માં ચૂંટણી લડ્યા ત્યારે ચાર ટકા વધારે એટલે કે 52.23 ટકા વોટિંગ થયું અને કોંગ્રેસની ફરી હાર થઈ.ચીમનભાઇ પટેલનો ચહેરો ભ્રષ્ટાચારી દેખાયો તો 1995માં ભાજપની કેશુભાઈની સરકાર બની હતી.
1990 64.39 ટકા વોટિંગ થયું હતું અને કોંગ્રેસની ખામ(KHAM) થિયરી સામે ભાજપની ફાક (PHAK) થિયરી કામ કરી ગઈ હતી. KHAMમાં ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમનો સમાવેશ કરાયો તો PHAK થિયરીમાં પટેલ, હરિજન, આદિવાસી અ ક્ષત્રિયની ગણતરી કરવામાં આવી હતી.
1991 અને શંકરસિંહને 1996માં ટેકો આપવાના કારણે કોંગ્રેસની છાપ ટેકા પાર્ટીની બની ગઈ હતી. આ દરમિયાન શંકરસિંહનો ખજૂરાહો કાંડ અને શંકરસિંહની ખરડાયેલી ઇમેજ ઉપરાંત 1991 અને શંકરસિંહને 1996માં ટેકો આપવાના કારણે કોંગ્રેસની છાપ ટેકા પાર્ટીની બની ગઈ હતી. 59.30 ટકા વોટિંગ થયું તો પણ સરકાર ભાજપની બની હતી. 2002માં વોટિંગ વધ્યું અને આંકડો 61.55 ટકાએ પહોંચ્યો. પણ ભાજપે 127 બેઠકો પર જીત મેળવી. 2007ની ચૂંટણીમાં ફરી વોટિંગ ઘટ્યું અને 59.77 ટકા થયું પણ સત્તા ભાજપની આવી. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર 2012માં 72.02 ટકા વોટિંગ થયું અને ફરી ભાજપ સરકાર આવી.
2014માં નરેન્દ્ર મોદીએ ગુજરાતમાંથી વિદાય લીધી અને રાષ્ટ્રીય રાજકારણમાં ઝંપલાવ્યું, વડાપ્રધાન બન્યા. તેમની વિદાય બાદ ગુજરાતમાં ઘમાચકડી શરુ થઈ. 2015માં પાટીદાર આંદોલન બાદ આનંદીબેન પટેલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. 2015ની શરૂઆતથી આંદોલનો શરૂ થયા. એકબાજુ પટેલ આંદોલનનો ઉકેલ આવતો ન હતો ત્યાં સુધીમાં ઉનાના દલિત કાંડે આગ પકડી લીધી અને આ આગ શમે ન શમે ત્યાં ઓબીસી નેતાઓ પોતાના સમુદાયની માગણીઓ સાથે ઊભરવા લાગ્યા. આ આંદોલનોની ઝાળ આનંદીબેનની ખુરશી નીચે એવી તો લાગી કે, આનંદીબેનનો સત્તાનો આનંદ લૂંટાઈ ગયો અને ખુરશીના પાયા હલી ગયા.
2017માં વિજય રુપાણીની સરકાર ફરી આવી પણ મહત્વની વાત એ જ રહી કે ભાજપની સામે ત્યાર બાદ કોરોનાની મહામારીના કારણે ભારે એન્ટી ઈનકમ્બન્સી ઉભી થઈ અને રુપાણીને ઘરે બેસવાનો વારો આવ્યો અને નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલને સીએમની ખુરશી પર બેસાડવામાં આવ્યા. હવે ભાજપ ફરી એક વાર PHAK થિયરી પર કામ કરવા માંડ્યો છે.