ડેન્ગ્યુના દર્દીઓમાં બીમારી દરમિયાન લોહીમાં પ્લેટલેટ્સ (લોહીમાં રહેલાં એક પ્રકારનાં કોષો) ઘટી જતા હોય છે, જેથી દર્દીને પ્લેટલેટ્સ ચઢાવવા પડે છે. કેટલીક વખત સિંગલ ડોનરથી 3 વખત પ્લેટલેટ્સ ચઢાવ્યાં બાદ પણ દર્દીના કાઉન્ટમાં વધારો થતો નથી. આ પરિસ્થિતિમાં બેદરકારી ન રાખવી જોઈએ પરંતુ કરેક્ટિવ કાઉન્ટ જોવા માટે પ્લેટલેટ્સ ચઢાવવાના 1 કલાક પછી ફરી ચેકઅપ કરીને કાઉન્ટ વધ્યા કે નહીં તે જાણી લેવું જોઈએ. દર્દીનાં શરીરમાં પ્લેટલેટ્સ ચડાવ્યા બાદ પણ તેની સંખ્યામાં વધારો ન થતો હોય તો દર્દીનો જીવ જોખમમાં મૂકાઈ શકે છે. તેથી પ્લેટલેટ્સ માટે બ્લડ સ્ક્રીનિંગ કરાવવી જોઈએ.
5 હજારથી વધારે પ્લેટલેટ્સ વધવા એ ફાયદાકારક છે. તેનાથી ઓછાં પ્લેટલેટ્સથી શરીરને નુકસાન થાય છે. પ્લેટલેટ્સ ચઢાવ્યાના 1 કલાક બાદ પણ શરીરનાં પ્લેટલેટ્સની સંખ્યામાં 5 હજાર કે તેથી વધુ સંખ્યામાં વધારો ન થાય તો તેને ‘રિસ્ક ફેક્ટરિનેસ’ કહેવામાં આવે છે એટલે કે દર્દીને પ્લેટલેટ્સ ચઢાવવથી તેનો ફાયદો નથી મળતો નથી. ઘણી વખત તેનું કારણ એન્ટિબોડીઝ પણ બને છે.
દર્દીને પ્લેટલેટ્સ ચડાવવાનો ફાયદો નથી થઈ રહ્યો તો તેને એબીઓ કોમ્પિટેબલ પ્લેટલેટ્સ ચઢાવવાની જરૂર છે. આ પદ્ધતિમાં દર્દીનાં લોહીમાં રહેલાં એન્ટિબોડીઝનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. દર્દીનાં એન્ટિ બોડીઝનો રિપોર્ટ ડોનર સાથે મેચ થાય તો જ દર્દીને પ્લેટલેટ્સ ચઢાવવામાં આવે છે.
જિનેટિક ડોનરથી ફાયદો થાય છે
ડેન્ગ્યુના દર્દીને એબીઓ કોમ્પિટેબલ પ્લેટલેટ્સની પણ અસર ન થાય તો ડોનર સાથે HLA (હ્યુમન લેયુકોસાઈટ એન્ટિજન્સ ) મેચ કરાવીને પ્લેટલેટ્સ (લોહીમાં રહેલાં એક પ્રકારનાં કોષો) ચઢાવવામાં જોઈએ. HLA ક્રોસ મેચિંગ પ્લેટલેટ્સ માટે ડોનર પરિવારમાંથી જ હોવો આવશ્યક છે. HLA મેચિંગથી ચઢાવેલાં પ્લેટલેટ્સથી દર્દીને ફાયદો થાય છે અને તેના શરીરમાં પ્લેટલેટ્સની સંખ્યા વધવા લાગે છે.
HLA મેચ 5-6 કલાકમાં થાય છે
એબીઓ સ્ક્રીનિંગ અને ક્રોસ મેચ માટે 1થી 1.5 કલાકનો સમય લાગે છે. HLA ક્રોસ મેચ કરવામાં 5-6 કલાકનો સમય લાગે છે. આ બંને સુવિધાઓ ન હોય તો દર્દીનાં જ બ્લડ ગ્રૂપનું SDP ચઢાવી શકાય છે. જોકે તેનો પ્રભાવ દર્દીની બીમારી પર કેવો થાય છે તેનો અંદાજ નથી લગાવી શકાતો.
ડેન્ગયુના દર્દીઓમાં 5 હજાર સુધી પ્લેટલેટ્સ હોય તો તેને વધુ પ્લેટલેટ્સ ન ચડાવવાની ગાઇડલાઇન છે. તાજેતરમાં ઇલેક્ટ્રોલાઇટ ઈમ્બેલેન્સ અને ફ્લુઇડ ઈમ્બેલેન્સથી ડેન્ગ્યુની સારવારમાં સારા પરિણામ આવે છે, જેથી પ્લેટલેટ્સ ચઢાવવવાની ઊતાવળ ન કરવી જોઈએ.