નવી દિલ્હી: આજે શુક્રવારે અક્ષય તૃતિયા છે ત્યારે આજના દિવસે સોના સહિત પીળી ધાતુ ખરીદવી શુભ માનવામાં આવે છે. જોકે, કોરોનાની મહામારી વચ્ચે કેટલાક રાજ્યોમાં કડક લોકડાઉન તો કેટલાક રાજ્યોમાં આંશિક લોકડાઉન લાદવામાં આવ્યું છે. દિલ્હી, મુંબઈ, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત અને રાજ્યમાં કડક લૉકડાઉન લગાવવામાં આવ્યું છે. કોરોનાને પગલે તમામ જ્વેલરી શૉપ બંધ છે. જોકે, તમે ઘરે બેઠાં બેઠાં સોનાની ખરીદી કરીને અખાત્રીજ નિમિત્તે શગુન કરી શકો છો. તમે ઘરે બેઠાં બેઠાં જ 24 કેરેટ શુદ્ધ સોનાની ખરીદી કરી શકો છો. અખાત્રીજના દિવસે અનેક જ્વેલર્સ ઑફર્સપણ આપી રહ્યા છે. તો જાણી લો ઘરે બેઠાં બેઠાં કેવી રીતે સોનું ખરીદી શકાશે અને તેમાં તમને શું ઑફર મળશે.
આજે શું ખરીદશો?: જો તમે આજના દિવસે સોનાનો સિક્કો કે પછી ઘરેણા ખરીદો છો તો તમારા માટે ડિજિટલ રીત ખૂબ સારી છે. અમુક કંપનીઓ એવી પણ ઑફર્સ લઈને આવી છે કે આજના દિવસે સોનાની ખરીદી કરી અને લૉકડાઉન ખતમ થતાની સાથે જ ડિલીવરી લઈ લો. તમે એમએમટીસી-પીએએમપીના ડિજિટલ સોનાની ફિજિકલ ડિલીવરી પણ લઈ શકો છો.
અહીં એક રૂપિયામાં ખરીદો સોનું : જો તમે ગૂગલ પે, પેટીએમનો ઉપયોગ કરો છો અથવા એચડીએફસી બેંક સિક્યોરિટીઝ, મોતીલાલ ઓસવાલના ગ્રાહક છો તો તમે ડિજિટલ રીતે ફક્ત એક રૂપિયામાં 999.9 શુદ્ધતા સર્ટિફાઇડ સોનું ખરીદી શકો છો. હકીકતમાં આ પ્લેટફોર્મ સાથે એમએમટીસી-પીએએમપીનો કરાર છે. જ્યારે પણ તમે કોઈ કંપની પેટીએમ, પોન પે અથવા સ્ટોક હોલ્ડિંગ ક્રોપથી સોનું ખરીદો છો ત્યારે એટલું સોનું એમએમટીસી-પીએએમપીના સેફ્ટી વોલ્ટ્સમાં સુરક્ષિત રાખવામાં આવે છે. જ્યાં સુધી શુદ્ધતાની વાત છે તો એમએમટીસી-પીએએમપીનું સોનું 99.9 ટકા શુદ્ધ હોય છે, એટલે કે 24 કેરેટનું શુદ્ધ સોનું મળશે.
SBI કાર્ડથી સોનું ખરીદવા પર કેશબે ઑફર: ગોલ્ડ જ્વેલરીની રિટેલ ચેન ચલાવતી કંપની માલાબાર ગોલ્ડે અક્ષય તૃતીય પર ખાસ ઑફર મૂકી છે. માલાબાર ગોલ્ડ એન્ડ આમ્પ, ડાઈમન્ડના ચેરમેન એમ પી અહમનું કહેવું છે કે તેમના ગ્રાહકો ઑનલાઇન ખરીદી કરીને અખાત્રીજના દિવસના રેટ પર સોનું બુક કરાવી શકે છે. સોનાનું પેમેન્ટ પણ કરી દો અને જ્યારે લૉકડાઉન ખતમ થઈ જાય ત્યારે તેની ડિલીવરી મેળવી લો. આ માટે કંપનીએ એસબીઆઈ કાર્ડ સાથે કરાર કર્યો છે. એસબીઆઈના કાર્ડથી સોનું ખરીદવા પર પાંચ ટકાની વધારાની છૂટ આપવામાં આવશે.
આ બે કંપની આપી રહી છે છૂટ: કલ્યાણ જ્વેલર્સ 15 હજારથી વધારેની જ્વેલરી ઑનલાઇન ઑર્ડર આપવા પર પાંચ ટકાની છૂટ આપી રહી છે. જ્યારે ટાટા જૂથની તનિષ્ક કંપની સોના અને હીરાની જ્વેલરીના મેકિંગ ચાર્જ પર 25 ટકાની છૂટ આપી રહી છે. આ ઑફરનો ફાયદો લેવા માટે તમારે www.tanishq.co.in પર જવું પડશે.
સેન્ચો ગોલ્ડમાં મેકિંગ ચાર્જમાં 100 ટકા છૂટ: સેનકો ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના સીઈઓ સુવંકાર સેને કહ્યુ કે, આ વર્ષે અખાત્રીજ અને ઇદનો વિશેષ સંયોગ છે. આ માટે કંપનીએ ખાસ ઑફર કાઢી છે. જે અંતર્ગત એડવાન્સમાં બુકિંગ કરવા પર પ્રતિ ગ્રામ સોનાની ખરીદી પર કંપની 200 રૂપિયાની છૂટ આપી રહી છે. આ સાથે જ ડાયમંડ જ્વેલરીના મેકિંગ ચાર્જમાં 100 ટકાની છૂટ આપવામાં આવશે. ગ્રાહકો કંપનીની વેબાસાઇટ sencogoldanddiamonds.com પરથી ખરીદી કરી શકે છે.
પીસી જ્વેલર્સ: દિલ્હીની ખૂબ જ પ્રસિદ્ધ પી સી જ્વેલર્સ અખાત્રીજના દિવસે ડાયમંડ જ્લેવરી પર ફ્લેટ 25% છૂટ અને સોનાના મેકિંગ ચાર્જમાં છૂટ આપી રહી છે. ગોલ્ડ કોઈનનું પેમેન્ટ આઈસીઆઈસીઆઈના ડેબિટ કે ક્રેટિડ કાર્ડથી કરવા પર 7.5 ટકા કેશબેકનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે.
જ્યારે જ્વેલરી બ્રાન્ડ મેલોરા અખાત્રીજ પર ગોલ્ડ જ્વેલરીની મેકિંગ ચાર્જમાં ફ્લેટ 30 ટકાનું વળતર આપી રહી છે. સાથે જ ઘરે બેઠા 100 ટકા શુદ્ધ સોનું અને સુરક્ષિત સોનું ખરીદી શકાય તે માટે કંપની બીઆઈએસ સાર્ટિફિકેટ અને વીમા કવરેજ સાથે ઘર બેઠા ડિલીવરી કરી રહી છે.