CM પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ મુદ્દાઓ પર ચર્ચા
ઉનાળામાં સરોવરોની સ્થિતિ, તમિલ સંગમ, વરસાદથી થયેલા નુકશાન સહીતના વિવિધ મુદ્દે આજે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
ગાંધીનગરમાં દર બુધવારે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજે પણ મંત્રીઓ અને સચિવો તેમજ અધિકારીઓની ઉપસ્થિતિમાં કેબિનેટ બેઠક મળી હતી. જેમાં સીએમની અધ્યક્ષતામાં સ્વર્ણિમ સંકુલ ગાંધીનગર ખાતેની બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
કેબિનેટમાં આ મુદ્દાઓ રહ્યા ધ્યાને
સૌરાષ્ટ્ર તમિલ સંગમની કામગીરી અને કોરોનાના વધતા કેસ સહિત અનેક મુદ્દાઓ ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલા નુકસાન અંગે પણ કૃષિ વિભાગના સંકલનમાં ચર્ચા કરાઈ હતી. આગામી નવી શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખીને પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યમાં ગરમીની સ્થિતિ વચ્ચે ડેમમાં પાણીના સંગ્રહ અને સુફલામ સુજલામ જળ સંચય અભિયાનની કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. એટલું જ નહીં આ સાથે આ બેઠકમાં મહેસૂલ વિભાગના વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.