રીના બ્રહ્મભટ્ટ
કોંગ્રેસ અને બીજેપી વચ્ચે હવે બરાબરનો ચુંટણી જંગ જામ્યો છે. જેમાં ઘડીકમાં પલ્લું બીજેપી તરફ નમતું જણાય છે તો ઘડીમાં કોંગ્રેસ તરફ. કોંગ્રેસને પાછલા ૨૨ વર્ષમાં પહેલી વાર એના માટે રાજ્કીય ઉજાસ દેખાઈ રહ્યો છે. પરંતુ ક્યાંક બાજી બગડતી પણ જણાઈ રહી છે. જેમાં મુખ્ત્ય્વે કોંગ્રેસનું ગણિત ખાસ તો પાટીદારો એટલે હાર્દિક માટે ખાસ આશા લઈને આવ્યું હતું. પરંતુ પાટીદારોને સંતોષ થાય એવી કોઈ જાહેરાત થઇ શકી નથી. પાસના નેતાઓ સાથે કપિલ સિબ્બલની મીટીંગ ખાસ કઈ ઉકાળી શકી નથી. અને આમ પણ હાર્દિકે હજુ સુધી કોંગ્રેસને સ્પસ્ટ ટેકો આપ્યો નથી. અને આજ પ્રકારે જીગ્નેશ મેવાની પણ કોંગ્રેસને લટકતી તલવારની જેમ ગોળ ગોળ જવાબ આપી ફેરવે રાખે છે.
ત્યારે ભાજપ માટે લોકોમાં સારો એવો અસંતોષ છે તેમ છતાં લોકો અમિત શાહ અને ભાજપના ટોચના નેતાઓને જે પ્રકારે આવકારી રહ્યા છે, તે ભાજપ માટે એક સારી બાબત છે. જો કે, લોકોનો અસંતોષ ખાસ તો સ્થાનિક સમસ્યાઓ સામે હોવાથી લોકો સ્થાનિક નેતાઓ, ધારાસભ્યો કે એમના વિસ્તારોના સાંસદો સામે વિરોધ કરે છે. અને સોસાયટીમાં કે ફ્લેટમાં પ્રવેશવા પ્રતિબંધ અંગેના પાટિયા પણ લગાવી રહ્યા છે.
ખેર એવામાં ફરી એકવાર ભાજપ માટે સારા સમાચાર એ છે કે, એબીપી લોક્નીતી સર્વેમાં બીજેપી માટે ફરી આસન જીતના સમાચાર આવ્યા છે. જો કે, બે મહિના અગાઉના સર્વેના મુકાબલે સ્થિતિ થોડી નબળી પુરવાર થઇ રહી છે. અને કોંગ્રેસ તેની સ્થિતિ મજબુત કરતી હોય એવો દાવો કરવામાં આવ્યો છે.
૩ મહિના પહેલા થયેલા સર્વેમાં બંને પાર્ટીના મતો વચ્ચે ૩૦ % નું અંતર રહેશે એમ જણાવાયું હતું પરંતુ આ ફેર ફકત ૬ % નું અંતર રહેશે એમ જણાવ્યું છે. જો કે પાછલી ચુંટણીના આંકડાઓમાં પણ આટલો જ ફર્ક હતો . એટલે આ વાસ્તવિક અંતર છે. ઓપિનિયન પોલ્ ઘણી બધી વાર સાવ ખોટા પણ સાબિત થઇ ચુક્યા છે. તેમછતાં દર વખત આ પ્રકારના સર્વે થાય છે. અને લોકો હોશે હોશે જુવે છે અને એને સાચા પણ માની લે છે. જો કે, આવા સર્વે કે તેના પરિણામો ઘણી વાર જે તે પાર્ટી જાણી જોઇને કરાવતી હોય એવું બનવાની પણ સંભાવનાઓ છે. કેમ કે, લોકો જે તે પાર્ટીની જીત જોઈ તેને મત આપવા પ્રેરાય.
ખેર પડદા પાછળ જે પણ હોય પરંતુ આ સર્વેમાં ૨૦૧૭ની ચુંટણીના પરિણામો ૨૦૧૨ જેવા જ રહેવાનું અનુમાન કરાયું છે. જો કે, સર્વે અનુસાર બંને પાર્ટીમાં થી કોઇપણ એકે ખુશ થવા જેવું નથી. આ સર્વેમાં એમ પણ જણાવ્યું છે કે, બીજેપી તેના ૨૨ વર્ષથી જાળવેલા ગઢમાં પણ કમજોર સાબિત થઇ શકે છે. લોકો નોટબંદી અને જીએસટીથી નાખુશ હોવાનું તારણ પણ આ સર્વેમાં રજુ કરાયું છે.
તો કોંગ્રેસ માટે પણ ચિંતાનું એ કારણ જણાવ્યું છે કે, તે પણ બીજેપીની જેમ તેના પારમ્પરિક આદિવાસી મત ગુમાવતી નજર આવી રહી છે. અને આ સર્વેના તારણ હોવા છતાં એક હકીકત છે. કેમ કે, બંને પાર્ટીઓ એનો મૂળ જનાધાર ગુમાવી નવા મતદારો તરફ નજર દોડાવી રહી છે. અને આ મામલે કોંગ્રેસ બીજેપીની તુલનામાં આગળ છે. કેમ કે, ભાજપે અસલમાં પાટીદારો સમક્ષ અનામત મામલે એની બનતી કોસીસો કરી હતી, પરંતુ બંધારણીય રીતે કે સામાજિક માળખા મુજબ જે ચીજ શક્ય જ ના હોય એમાં ભાજપ કે કોંગ્રેસ કઈ જ ના કરી શકે.
એક જાતિને ગેર બંધારણીય રીતે ખુશ કરવા જતા એવું બને કે દેશમાં ઠેર ઠેર અન્ય જાતિઓના આંદોલન ફાટી નીકળે અને સમગ્ર દેશમાં સામાજિક માળખું ખોરવાઈ જાય. એનાથી બહેતર છે કે, શક્ય હોય એવો રસ્તો શોધી પાટીદાર નેતાઓ સમક્ષ ખુલીને વાત કરવી. બાકી આમ કોંગ્રેસ અનામત માટે પાટીદારોને લોલીપોપ આપે અને હાર્દિક પાટીદારોના મત માટે કોંગ્રેસને લોલીપોપ આપે એમાં લોકશાહીની શાન નહિ. બાકી કોંગ્રેસના જ નેતા સામ પિત્રોડા એ આ અંગે સ્પસ્ટ શબ્દોમાં જણાવ્યું છે. વેલ ત્યારે આ સાથે આ સર્વેના તારણો મુજબના આંકડાઓ જોઈએ તો,
કુલ સીટ : ૧૮૨
બીજેપી : ૧૧૩-૧૨૧ સીટ, વોટ -૪૭ %
કોંગ્રેસ : ૫૮-૬૪ સીટ ,વોટ -૪૧ %
અન્ય ૧ થી ૭ સીટ.
જો કે , પાછલા ચુંટણી પરિણામોના આંકડાઓ પણ કૈક આવા જ છે. પરંતુ અહી ખટકે તેવી બાબત છે કે, અગાઉ કોંગ્રેસે તુસ્ટીકરણની નીતિ અપનાવી હતી, તો આ વખતે જાતિવાદનું કાર્ડ વટાવવા અનામતની લોલીપોપ આપવા ધમ્પછાડા ચાલુ કર્યા છે.