હિન્દુત્વને કારણે ભગવાન રામ કરતાં દોઢો એટલે ૨૨ વર્ષનો વનવાસ ભોગવનાર કોંગ્રેસ હવે મોડે મોડેથી સોફ્ટ હિન્દુત્વ તરફ વળી છે. ભગવાન રામને ૧૪ વર્ષ વનવાસ ભોગવવો પડ્યો હતો પણ રામના નામે તરી ગયેલાં ભાજપે ૨૨ વર્ષ ગાંધીનગરવાસ ભોગવ્યો હવે કોંગ્રેસ પણ રામના નામ વગર હિન્દુત્વ તરફ વળી રહ્યું છે.
કોંગ્રેસના નેતા છેલ્લાં ચાર પ્રવાસથી ગુજરાતનાં મંદિરોમાં જઈ રહ્યા છે સોમનાથ મંદિરે હોય કે ભરવાડોનું વાળીનાથ ભગવાનનું મંદિર હોય ક્યાય જવાનું ચુકતા નથી પણ મસ્જીદ કે દરબાર પર માથું ટેકવવાનું તળે છે. એટલુજ ઓછુ હોય એમ કોંગ્રેસે આ વખતે એમની નીતિમાં યુટર્ન લીધો હોય એમ લાગે છે કારણકે તાજેતરમાં કોંગ્રેસની એક બેઠકમાં મુસ્લીમ નેતાઓએ કોંગ્રેસના મુસ્લીમ કાર્યકર્તાઓને ઠોકીને સુચના આપી છે કે મતદાન સમયે કોઈ મુસ્લીમેં પારંપરિક ડ્રેસ પહેરીને મતદાન કરવું નહીં એટલેકે પુરુષોએ ટોપી ન પહેરવી કે પઠાણી ન પહેરવું મહિલાઓ વોટીંગ કરવા જાય ત્યારે બુરખામાં ન જાય એની કાળજી રાખવી
જેના પરિણામે લઘુમતિ સમાજ ખાસ્સો નારાજ થયો હતો પરંતુ કોંગ્રેસે એની પરવાહ કરી નથી.
કોંગ્રેસે આ વખતે નવી રણનીતિ અપનાવી છે આ વખતે માધવસિંહ સોલંકીની ખાસ થીયરી એટલેકે ક્ષત્રીય, હરિજન આદિવાસી અને મુસ્લિમને બાજુમાં રાખી માધવસિંહના દીકરા ભરતસિંહ બાપની થીયરીને બદલી નાખે છે હવે એ પોડા થીયરી પર કામ કરી રહ્યો છે એટલે કે હવે આ વખતે કોંગ્રેસ પટેલ ઓબીસી દલિત અને આદિવાસી વોટબેંક પર આધાર રાખી રહ્યા છે અને આ વખતે પોડા થીયરી રમી ગુજરાતમાં ગાંધીનગર ગાડી સર કરવાના પ્રયાસ કરી રહ્યા છે પરંતુ આ વખતે માધવસિંહના દીકરા ભરતસિંહ પોડા થીયરી પોતાના પિતા માધવસિંહ ખાસ થીયરીનો રેકોર્ડ તોડશે કે કેમ? એ તો ચુંટણીના પરિણામો જ કહેશે