રાહુલ ગાંધી આજે સવારે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. રાહુલ ગાંધીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રાહુલ ગાંધી પ્રવાસ દરમિયાન 13 વિધાનસભા મત વિસ્તાર ખૂંદી વળશે.જ્યારે અંબાજીમાં અંબાજી માતાજી, બહુચરાજીમાં બહુચર માતાજી, શંખેશ્વરમાં જૈનપ્રભુ, પાટણમાં કાલિકા મૈયા અને દલિતોના ઇષ્ટદેવ વીરમાયાદેવ, વરાણામાં આઇ ખોડિયાર માતાજી તેમજ થરામાં વાળીનાથ દાદા સહિત કુલ 7 મંદિરોમાં દર્શન કરવા જશે. આમ ધાર્મિક સ્થળો પર ફરીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે।
રાહુલ ગાંધી 12 સ્થળોએ જાહેરસભા સંબોધશે. જેમાં પ્રથમ દિવસે શનિવારે પ્રાંતિજ, હિંમતનગર, ઇડર અને ખેડબ્રહ્મામાં સભા કરશે. બીજા દિવસે રવિવારે પાલનપુર, ડીસા, થરા અને પાટણમાં જાહેરસભા સંબોધશે. જ્યારે ત્રીજા દિવસે સોમવારે વરાણા, બહુચરાજી, મહેસાણા અને વિસનગરમાં સભા કરશે.