જૂનાગઢનાં માંગરોળમાં મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જયદીપ પરમારે પોતીની વાડીએ ઝેરી દવા ગટગટાવીને મોતને વ્હાલું કરી લીધું છે. અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવીને કોન્સ્ટેબલે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જોકે ઘટના બાદ તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું. કોન્સ્ટેબલના આપઘાતની જાણ થતાજ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. અને ડીવાયએસપી સહીતનો પોલીસનો કાફલો હોસ્પિટલ પહોચ્યો હતો.
Tuesday, May 21