ગાંધીનગર સ્થિત મોટા નેતાની પુત્રવધૂને કોઈ કથિત રીતે કોન્ટ્રાક્ટર ભગાડી ગયા પછી તેને પરત મેળવીને પિયરમાં મોકલી દીધી હોવાની ચર્ચા ટોક ઓફ ધ સ્ટેટ બની છે, પરંતુ તેની કોઈ ફરિયાદ કે અરજી થઈ હોવાનું જાણવા મળતું નથી. આ ચર્ચાએ સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ભારે ચર્ચા જગાવી હોવાનું જાણવા મળે છે. આ અંગે સૌરાષ્ટ્રના મીડિયામાં રિપોર્ટ પણ પ્રસિદ્વ થયા છે.
સૌરાષ્ટ્રના મીડિયા રિપોર્ટ મુજબ ગુજરાતના મોટા નેતાની પુત્રવધૂને કોઈ ગવર્નમેન્ટ કોન્ટ્રાક્ટર ભગાડી ગયો અને પુત્રવધૂને પરત મેળવીને નેતાએ કોન્ટ્રાક્ટરને ચેતવણી આપીને જવા દીધો, તે પ્રકારની ચર્ચા આજે સવારથી જ ટોક ઓફ ધ સ્ટેટ બની છે. આ પ્રકારના અહેવાલોમાં પ્રેસ-મીડિયા ઉપરાંત રાજકીય વર્તુળોમાં પણ ભારે ચર્ચા જગાવી છે અને અંદાજો, અટકળો તથા આશંકાઓની આંધી ફેલાઈ હોય તેમ આ અહેવાલો અત્યારે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ જો કે આ અંગે કોઈ ફરિયાદ-અરજી કે અધિકૃત પુષ્ટિ આ લખાય છે ત્યાં સુધી થઈ નથી કે કોઈ ચોક્કસ નામ ચર્ચામાં બહાર આવ્યા નથી, તેથી ‘એ કોણ હશે?’ તેવો સવાલ પણ ચર્ચાઈ રહ્યો છે. તાજેતરમાં નાતાલના તહેવારે ઘટના બની હોવાનું કહેવાય છે. મોટા નેતાના પરિવારે આબરૃ જાળવવા હાલ સુધી આ પુત્રવધૂને તેના પિયર જામનગરમાં મોકલી હોવાના અહેવાલો પણ પ્રકાશિત થતાં અત્ર-તત્ર-સર્વત્ર એ ચર્ચાની સાથે સાથે અટકળોનું બજાર પણ ગરમ થયું છે, જો કે ઘટનાની પુષ્ટિ અધિકૃત રીતે હજુ સુધી થઈ નથી.