વિશ્વભરના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, કોરોનાવાઈરસને જડમૂળથી દૂર કરવામાં માટે ફોલ્સ નેગેટિવ રિપોર્ટ મોટી સમસ્યા બની ગયો છે. આવા રિપોર્ટનો અર્થ એ છે કે, વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો હોવા છતાં તેના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, કોવિડ-19ના બદલાતા સ્ટ્રેનના કારણે કોઈ પણ તપાસ 100 ટકા સચોટ નથી. સંક્રમણ રોગ નિષ્ણાત ડો. પ્રિયા સમ્પતકુમારના જણાવ્યા પ્રમાણે, સચોટ તપાસ કરનાર તાલીમબદ્ધ હોવો જોઈએ અને સેમ્પલિંગ દરમિયાન આપવામાં આવેલી ગાઈડલાઈનનું કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેના કારણે જ અમેરિકામાં કોરોનાની તપાસ માટે સામાન્ય સ્ટાફ નહીં પરંતુ પ્રશિક્ષિત ફાર્માસિસ્ટ નિમણૂક કરવામાં આવી રહી છે. વૈજ્ઞાનિકોએ હવે તાજેતરમાં ઉપલબ્ધ કરવામાં આવેલ સીરોલોજીકલ ટેસ્ટથી અપેક્ષા છે. આ ટેસ્ટ દ્વારા , તે જોવા મળે છે કે માનવ શરીરમાં હાજર એન્ટિબોડીઝ કોરોનાવાઈરસ પર કેવી રીતે અસર કરશે. આ તપાસથી એ પણ જાણી શકાશે કે મનુષ્યને પહેલાં ક્યારેક ચેપ લાગ્યો હતો કે નહીં. જે દર્દીઓના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમને પણ સેરોલોજીકલ ટેસ્ટ કરવામાં આવશે.