ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકેની તાજપોશીમાં બેનની મહત્વની ભૂમિકા માનવામાં આવે છે. સીઆર પાટીલ પણ ભૂપેન્દ્ર પટેલની નિમણૂંકથી ચોંકી ગયા હતા. ભૂપેન્દ્ર પટેલને આનંદીબેન પટેલના વિશ્વાસુ માનવામાં આવે છે. લાંબા ગાળા બાદ બેનની ગુજરાતમાં આવી રીતે જાહેરમાં હાજરી જોવા મળી હતી, જે ઘણી સૂચક બની રહી છે.
ભૂપેન્દ્ર પટેલ મૂળભૂત રીતે અમદાવાદનાં છે. પટેલ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. આનંદીબેનની જગ્યાએ તેમને જ ટીકીટ આપવામાં આવી હતી. તેઓ ઔડાના ચેરમેન તરીકે પણ કામ કરી ચૂક્યા હતા.
વડોદરામાં સુશાન સપ્તાહ નિમિત્તે યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ હાજર રહ્યા હતા, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિત ભાજપના અનેક આગવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌની નજર બેન પર રહી હતી. 2400 ક્ષય રોગીઓને દત્તક લેવાના કાર્યક્રમમાં આનંદીબેન અને સીઆર પાટીલ સ્ટેજ પર જોવા મળતા ભાજપ સહિત અન્ય રાજકીય પક્ષોમાં ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે, આનંદીબેન પટેલ હાલ બંધારણીય હોદ્દા પર બિરાજેલા હોવાથી વિશેષ રીતે રાજકીય રીતે જે કંઈ પણ ચર્ચા હોય તેને સાંકલી લેવામાં આવતી નથી.
નોંધનીય છે કે પાટીદાર અનામત આંદોલનું કારણ આગળ ધરીને તેમને ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિદાય આપવામાં આવી હતી અને વિજય રુપાણીને ગુજરાતનું સુકાન સોંપવામાં આવ્યું હતું, પણ સાડા ત્રણ મહિના પહેલાં જ વિજય રુપાણીને બદલીને આનંદીબેનના નજીકનાં નેતા ભૂપેન્દ્ર પટેલને ગુજરાતની ગાદી સોંપવામાં આવી છે અને આના કારણે વારે-છાશવારે બેન સતત ચર્ચામાં રહે છે.