તિરુવનંતપુરમમાં શ્રી ચિત્રા તિરુનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસે હળદરથી કેન્સરની સારવારની અમેરિકન પેટન્ટ પ્રાપ્ત કરી લીધી છે. સંસ્થાનો દાવો છે કે, હળદરમાં રહેલાં કરક્યૂમિન તત્ત્વથી કેન્સરની સારવાર થઈ શકે છે. સંસ્થાના જણાવ્યા અનુસાર, શરીરમાંથી ગાંઠને દૂર કર્યા બાદ હળદરથી સારવાર કરવામાં આવશે જેથી, ટ્યૂમર ઓગળી જાય અને શરીરમાં ફેલાતું અટકે છે. મુખ્ય સંશોધક ડો. લિસી કૃષ્ણનના જણાવ્યા મુજબ, હળદરમાં રહેલું કરક્યૂમિન સરળતાથી શરીરમાં સમાઈ જાય છે અને કેન્સર સામે લડે છે. કેન્સરના કોષોને દૂર કરવા માટે સીધા જ ગાંઠના ભાગમાં કરક્યૂમિન રિલીઝ કરવામાં આવશે. આ સામાન્ય કોષોને નુકસાન ન પહોંચાડીને કેન્સરના કોષો પર સીધો હુમલો કરશે. ઘણા સંશોધનોમાં એ પણ સાબિત થયું છે કે તે કેન્સરના કોષોને મારી નાખે છે. આ સંશોધન ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) સાથે મળીને કરવામાં આવ્યું છે. પેટન્ટ મળ્યા બાદ હવે તેની ક્લિનિકલ ટ્રાયલ શરૂ થશે અને ટૂંક સમયમાં આ ટેક્નોલોજી કેન્સરના દર્દીને ઉપલબ્ધ થશે.
Monday, May 20