દાહોદમાં દેવગઢ બારીયાના અસાયડી ગામે દીપડો ટ્રેનીની અડફેટે આવી ગયો. ટ્રેનની અડફેટે આવતા દિપડાના 2 કટકા થયા જેના કારણે દીપડાનું મોત નિપજ્યું. વહેલી સવારે આ ઘટના બની હતી. અને ઘટનાની જાણ થતા વનવિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા. જ્યા તેમણે દિપડાના પી.એમની કાર્યવાહી હાથ ધરી હતી. ધાનપુરના કાટુ ગામે વનવિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરવામાં આવ્યો છે. અહીયા અવાર નવાર દીપડાના હુમલાની ઘટના બનતી હતી. જેથી વનવિભાગ દ્વારા અહીયા પાંજરા મુકવામાં આવ્યા હતા અને હવે આ દીપડાને દેવગઢ બારીયા વનવિભાગની કચેરી ખાતે લઈ જવામાં આવશે. જ્યા દિપડો માનવ ભક્ષી છે કે નહી તે તપાસ અર્થે તેને ગોધરા ખસેડવામાં આવશે.
Friday, May 3