ભાનુભાઈ વણકરના આત્મ વિલોપન બાદ ગુજરાત સરકારના મુખ્ય સચિવ વતી લેખિત ખાત્રીમાં રાજ્ય સરકાર દ્વારા દલિત કાર્યકર્તાઓ સામે દાખલ થયેલ ફોજદારી કેસ પરત ખેચવાની માંગ કરાઈ હતી. જે પૂરી ન થતાં ગુજરાત સરકારના છ ઉચ્ચ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી છે.
15 ફેબ્રુઆરી 2018ના રોજ પાટણ કલેકટર કચેરી ખાતે અનુસુટચિત જાતિના દલિત ભાનુભાઈ વણકર દ્વારા જમીનના પ્રશ્ને જાતે સળઘી જઈને આત્મ વિલોપન કર્યું હતું. 16મીએ તેમનું અવસાન થયું હતું. સરકારે કરેલ અન્યાય સામે તેમના પરિવારજનો અને દલિત સમાજ દ્વારા વિરોધ નોંધાવી મુખ્ય સચિવને સંબોધીને માંગણીઓ રજુ કરવામાં આવી હતી.
જે અંગે 18 ફેબ્રુઆરી 2018ના રોજ ગુજરાત સરકાર દ્વારા લેખિતમાં ખાત્રી આપવામાં આવી હતી. જેમાં ભાનુભાઈ વણકરના મૃત્યુ પછી થયેલા આંદોલન દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા કોઈ ફોજદારી કેસ પરત ખેંચી લાવાની ખાતરીનો સાવેશ થતો હતો.
અનુસુચિત જાતિ અધિકાર સમિતિના સંયોજક કિરીટ રાઠોડ નેજા હેઠળ રાજ્યપાલ સમક્ષ આવેદનપત્ર આપીને
વિવિધ માંગણીઓ 15 ફેબ્રુઆરી 2019ના રોજ કરવામાં આવી હતી કે, રાજ્ય સરકારના મુખ્ય સચિવના આદેશનું સરેઆમ ઉલ્લંઘન કરનાર 6 ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ સેવા અને શિસ્તના નિયમો આધીન કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. જેમાં રાજ્યપાલની દેખરેખ નીચે ઉચ્ચ કક્ષાની તપાસ સમિતિ નીમવાની જાહેર હિતમાં માંગણી કરવામાં આવી છે.