ઓડિશાના ગંજામ જિલ્લાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં અંતિમ સંસ્કાર માટે લઇ જવા દરમિયાન વ્યક્તિ જીવતો થઇ ગયો. હકીકતમાં, જે વ્યક્તિને લોકો મૃત સમજીને અંતિમ સંસ્કાર કરવા લઇ ગયાં હતાં, તે અચાનક પોતાનું માથુ હલાવવા લાગ્યો અને તે જીવંત નીકળ્યો. તેનાથી કેટલાંક લોકો એટલા ગભરાઇ ગયાં હતાં કે ત્યાંથી ભાગી ગયા.
જો કે તરત જ વ્યક્તિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં ડોક્ટરે જણાવ્યું કે સારવાર બાદ વ્યક્તિની હાલત સ્થિર છે. ડોક્ટરે જણાવ્યું કે કપકહાલા ગામમાં ગ્રામીણ સીમાંચક મલિકને અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવ્યો હતો. પરંતુ તેને માથુ હલાવતા જોઇને તેને સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર લઇ જવામાં આવ્યો હતો.
ડોક્ટરે જણાવ્યું કે તાવના કારણે તે બેભાન થઇ ગયો હતો અને સારવાર બાદ તેની હાલતમાં સુધાર હતો. ડોક્ટરે જણાવ્યું કે મલિકને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.
પોલીસે જણાવ્યા અનુસાર મલિક શનિવારે બકરીઓ અને ઘેટા ચરાવવા માટે જંગલ ગયો હતો પરંતુ સાંજે પશુઓના પરત ફર્યા બાદ પણ તે પરત આવ્યો ન હતો. તે બાદ શનિવાર સવારે કેટલાંક લોકોએ મલિકને બેભાન અવસ્થામાં જોયો અને તેને ઘરે લઇ આવ્યાં.
પરિવારના સભ્યો અને ગામના અન્ય લોકોએ મલિકને મૃત સમજીને તેના અંતિમ સંસ્કારની તૈયારી કરી લીધી. જ્યારે મલિકને ગામમાં અંતિમ સંસ્કાર સ્થળ પર ગયા તો અચાનક તેનું માથુ હલવા લાગ્યો, જેથી લોકો ગભરાઇ ગયાં. થોડી મિનિટ બાદ તેમાંથી કેટલાંક લોકો ત્યાંથી ભાગી ગયાં.