હજયાત્રા મુદે દિલ્હીમાં મુખ્તાર અબ્બાસ નકવીનું નિવેદન, અા વર્ષથી હજની સબસીડી નહી મળે.અા વર્ષ 1.75 લાખ યાત્રીઓ કરવાના છે હજ. પહેલીવાર સબસીડી વગર જશે હજયાત્રીઓ. શરૂઅાતી વર્ષોમાં રૂ. 700 કરોડની અપાતી હતી સબસીડી. અા સબસીડીનો લાભ ગરીબ મુસ્લીમ હજયાત્રીઓને મળતો હતો.પાછલા વર્ષે 250 કરોડની અપાઈ હતી સબસીડી. મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતુ કે મુસ્લિમ છોકરીઅોના ભણવાના ખર્ચમાં વપરાશે નાણાં.
સબસીડીનો લાભ થતો નહતો હજયાત્રીઓને અને અેજન્સીઓને મળતો હતો હજયાત્રાનો લાભ. સમુદ્રી જહાજો મારફતે પણ શરૂ કરાશે હજયાત્રા.
અા નિર્ણય લઘુમતી સમુદાયને સશક્તી કરણ કરવાના સરકારના કાર્યસુચીનો એક ભાગ છે. લઘુમતી બાબતોના પ્રધાનમુખ્તાર અબ્બાસ નકવીઅે અા માહિતી અાપી હતી.સબસીડીના ઉપાડથી હજની યાત્રાના ખર્ચને અસર નહી થાય. સબસીડી ઉપાડ હોવા છતા અા વર્ષે હજયા6ા પર 1.75 લાખ મુસ્લીમોનો રેકોર્ડ હશે.સાઉદી અરબ સરકારે સૈદ્ધાંત્તિક રીતે જે હજની યાત્રાએ ભારતથી સમુદ્રી જહાજો દ્વારા મંજુરી અાપી છે, અને બે દેશોનાં અધિકારીઓ અા પદ્ધતિનો અંતિમ રૂપ અાપવા માટે બેસી જશે. લઘુમતિઓને ગૌરવ અને સમર્થનવિના સશક્તિકરણ કરવા માટે અા અમારી નીતિનો એક ભાગ છે. લઘુમતિઓના કલ્યાણ માટેના ઘણા પહલાઓ લેવામાં અાવી રહ્યા છે.
સબસીડીઅોનો ઉપયોગ લઘુમતિઓના કલ્યાણ અર્થે જ વાપરવામાં અાવશે. લઘુમતિઓના શિક્ષણ પાછળ અા સબસીડી વાપરવામાં અાવશે. તેમને વધુ શિક્ષિત બનાવવામાં અાવશે.ભારતના સમુદ્રી માર્ગ દ્વારા હજયાત્રાને મંજુરી અાપવામાં અાવી છે. હજયાત્રામાં મહિલાઓ સ્વંતંત્ર રીતે જઈ શકે છે.અા વર્ષની શરૂઅાતમાં મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતુ કે સુપ્રિમકોર્ટના હુકમ મુજબ અા વર્ષથી હજયાત્રા પર સબસીડી નાબુદ કરવામાં અાવશે.સુપ્રિમકોર્ટના બંધારણીય વર્ષ 2012માં કોંગ્રેસ શાસન દરમિયાન અાદેશ અાપ્યો હતો કે હજ પર મળતી સબસીડી દુર કરવામાં અાવશે. નવી નીતિમાં અેક સમિતિની ભલામણ મુજબ સરકારે સબસીડી દુર કરવાનો નિર્ણય કર્યો છે.
2016માં કેન્દ્ર સરકારે હજયાત્રીકો માટે સબસીડી રૂપિયા 450 કરોડ ખર્ચ્યા હતા.2014માં રૂપિયા 577.7કરોડ ખર્ચ્યા હતા અને પછીના વર્ષે તે ઘટીને રૂપિયા 529.51 કરોડ થઈ હતી.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.