ગુજરાતમાં વર્ષ ૨૦૧૨માં વિધાનસભાની ચુંટણીમાં રીતસરની મોદી લહેર હતી અને મોદી લહેરમાં પણ ભાજપને ૧૮૨ પેકી ૧૧૬ બેઠકો પ્રાપ્ત થઇ હતી તે સમયના વાવાઝોડામાં પણ કોંગ્રેસે ૬૬ બેઠકો મેળવી હતી ત્યારે નવાઈની વાત એ છે કે ભાજપ દ્વારા આ વખતની ચુંટણીમાં ૧૫૦ બેઠકો મેળવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે પરંતુ વાસ્તવિકતા એ છે કે તે સમયે ભાજપ અને મોદીના વાવાઝોડામાં પણ ૧૫૦ બેઠકો મળી ન હતી ત્યારે ચારેતરફ જે વિરોધ વંટોળ ઉઠ્યો તેમાં ભાજપ ૧૫૦ બેઠક કેવી રીતે મેળવી શકશે તે ગણિત સમજાતું નથી.
વિધાનસભા ૨૦૧૭નિ ચુંટણીમાં અલ્પેશ ઠાકોરના કારણે મોતાભાનો ઠાકોર સમાજ ભાજપથી વિરુદ્ધ જઈ રહ્યો છે તેવીજ રીતે હાર્દિક આપ મંડળીના કારણે મોટાભાગના પાટીદાર પણ ધુઆ પુઆ થવાની ફરી શક્યતા રહેલી તે ઉપરાંત જીગ્નેશ મેવાણી પણ ભાજપ માટે માથાનો દુઃખાવો બન્યો છે અને મોટાભાગના દલિત મતો પણ ભાજપે ગુમાવવા પડે તેવી સ્થિતિ છે.
ઉપરાંત ભાજપ સામે ઉગ્ર આંદોલન ચલાવનારી આંગણવાડી બહેનો, સરકારી કર્મચારીઓ અને અધિકારીઓમાં પણ અંદરખાને રોષ ભભૂકી ઉઠ્યો છે તેવી જ રીતે પોલીસ કર્મચારી અધિકારીઓ પણ આડકતરી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
બીજી તરફ GSTનો ભોગ બનનાર વેપારીઓમાં આજે પણ ભયંકર આક્રોશ ભભૂકી ઉઠ્યો છે ત્યારે ભાજપે આ તમામ પરીસ્તીતીને મહાત કરીને ૨૦૧૨ કરતાં પણ વધુ બેઠકો મેળવવાની છે તે કામ ભાગીરથીને પૃથ્વી પર લાવવા જેવા પરિશ્રમવાળી છે.