દીકરા-દીકરી વચ્ચે થતો ભેદભાવનો એક હૃદયદ્રાવક કિસ્સો જૂનાગઢમાં સામે આવ્યો છે. જ્યાં એક પિતાએ ચોથી દીકરીનો જન્મ થતાં ત્રણ દીકરીઓને કુવામાં ફેંકી પોતે પણ જીવની ટૂંકાવી નાખ્યું છે. આ ગોઝારી ઘટના ભેસાણના ખંભાળિયામા ગામમાં આ ઘટના બની છે. જ્યાં સગા બાપે ચોથી દીકરીનો જન્મ થતા ત્રણ દીકરીને કૂવામાં ફેંકી મોતને ઘાટ ઉતારી દીધી છે. દિકરીઓને કૂવામાં ફેંકી બાપે પણ આપઘાત કરી લીધો છે. આ કિસ્સો તમને એ પ્રશ્ન પૂછવા જરૂર મજબૂર કરશે કે? આ તે કેવી માનસિકતા? સમાજમાં એવા લોકો જીવે છે જેમને માટે દીકરાનો જન્મ ઉત્સવ છે અને દીકરીનો જન્મ માતમ. આ ઘટનાના કારણે સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.
Tuesday, May 21