નવી દિલ્હી : મે મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વનિર્ભર ભારત અભિયાન અંતર્ગત 20 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. આ પેકેજમાં દેશના નાના અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ) માટેની ઇમરજન્સી ક્રેડિટ ગેરંટી યોજના હેઠળ લોન આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ લોનનો વ્યાપ વધારવા માટે હવે તૈયારીઓ કરવામાં આવી રહી છે. નાણાં મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં, લેબ માલિક, ક્લિનિક ઓપરેટર, બસ, ટેક્સી એજન્સી માલિક જેવા લોકો હવે ક્રેડિટ ગેરંટી યોજનાનો લાભ લઈ શકશે.
3 લાખ કરોડની લોનની જાહેરાત
નાણાં મંત્રાલય તરફથી આ સંકેતો એવા સમયે મળી રહ્યા છે જ્યારે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની મોટી બેંકો અને નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (એનબીએફસી) ના વડાઓ સાથે બેઠક યોજી છે. બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો કે સરકાર બેન્કિંગ સિસ્ટમની સાથે મક્કમ છે.