પિતા પુત્રના સંબંધને લાંછન લગાવતો કિસ્સો દેવગઢ બારીયાનામાં સામે આવ્યો છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. દાહોદના ચેનપુરમાં કળિયુગી પુત્રએ પિતાની હત્યા કરતા સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બની ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, દેવગઢ બારીયાના ચેનપુર ખાતે એક 65 વર્ષીય વ્રુદ્ધની હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્ય મૃતક વૃદ્ધના સગા દીકરાએ જ કરી હતી. પુત્રએ તલવારના ઘા મારી પોતાના પિતાની હત્યા કરી હતી. જોકે, આ હત્યા પાછળનું કારણ પણ ચોંકાવનારૂં છે. પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક વૃદ્ધ પોતાની પુત્રવધુને કોઇ કારણસર ઠપકો આપી રહ્યા હતા અને પુત્રવધુને ખોટૂ લાગતા તેણે પોતાના પતિને આની જાણ કરી હતી. પત્નીની વાત સાંભળી આરોપી પુત્ર ઉશ્કેરાઇ ગયો હતો અને પોતાના જ પિતાની તલવારનાં ઘા મારી હત્યા નિપજાવી દીધી હતી.
આ મામલે એવી જાણકારી સામે આવી રહી છે કે, આરોપી પુત્રએ મૃતક પિતાને એવું કહ્યું હતું કે,’મારી પત્નીને ગાળો કેમ આપો છો કહી પુત્રએ તલવારના ઘા ઝીંકયા હતાં દરમિયાન તેણે આવું પણ કહ્યું હતું કે,’ તમારા લીઘે મારી પત્ની ઘર છોડીને તેના ઘરે જતી રહી છે એને તમે કેમ લેવા જતા નથી તેમ કહી’ ઉશ્કેરાયેલા પુત્રએ પીતાને તલવારના ઘા ઝીંકયા હતા. આ મામલે મૃતક વૃદ્ધની ડેડબોડીને પીએમ અર્થે દેવગઢ બારીયા સીવીલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. આ મામલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી હત્યારા પુત્રને પકડવાના ચક્રો ગતીમાન કર્યા છે.