ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં કડાકાભડાકા શરુ થઈ જવા પામ્યા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં કોગ્રેસને ફટકો પડ્યો છે. અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી માટે વડગામની સીટ ખાલી કરી આપનારા મણીભાઈ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે.
જિજ્ઞેશ મેવાણી પર આરોપ મૂક્તા વાઘેલાએ જણાવ્યું કે સમાજ- સમાજ વચ્ચે વૈમનસ્ય ઉભુ કરી કહેવાતા દલિત નેતાઓને કોંગ્રેસે પ્રોત્સાહન આપી જૂના પીઢ નેતાઓનુ સ્વમાન હણાયું છે.
તેમણે કહ્યું કે અમને પણ સત્તાધારી પક્ષમાંથી પ્રલોભનો હોવા છતાં કોંગ્રેસ સાથે ઉભા રહ્યા હતા. વડગામમાંથી ચૂંટણીમાં મેન્ડેડ આપવાનું વચન આપવામાં આવ્યું હતું. પણ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં વચન પાળવામાં આવ્યું ન હતું અને અપક્ષ ઉમેદવારને ટેકો આપ્યો હતો.