ગાંધીનગરમાં આવતીકાલથી શરૂ થનાર ત્રણ દિવસ માટેના ગ્લોબલ પાટીદાર બીઝનેસ સમીટ કાર્યક્રમનું ઉદ્દઘાટન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ કરશે. ૩ર જેટલા દેશોમાંથી ૧૦,૦૦૦ જેટલા પાટીદાર ઉદ્યોગપતિઓ આ ઇવેન્ટમાં હાજર રહેશે. આ કાર્યક્રમમાં રોજ ૩ લાખ લોકો ઉપસ્થિત રહે તેવી શકયતા છે. એકઝીબીશનમાં પ૦૦ જેટલા સ્ટોલ નાખવામાં આવ્યા છે.
આ ઇવેન્ટમાં અનેક રાજકીય, બીઝનેસ અને મોટા ગજાના નેતાઓ-ઉદ્યોગપતિઓ હાજર રહેવાના છે. જેમાં સુઝલોનના ફાઉન્ડર તુલસી તંતી, જાયડસ કેડીલાના સીએમડી અને ચેરમેન પંકજ પટેલ, અમેરિકા સ્થિત બીઝનેસમેન કિરણ પટેલ, ડો.વિઠ્ઠલ ધડુક, બાલાજી વેફર્સના ફાઉન્ડર અને ડાયરેકટર ચંદુભાઇ વિરાણી, શ્રીરામકૃષ્ણ એકસપોર્ટના ચેરમેન ગોવિંદભાઇ ધોળકીયા, ગણપત યુનિ.ના ગણપત પટેલ વગેરે હાજર રહેશે. જાણીતા લેખકો ચેતન ભગત, શિવ ખીરા પણ ઉપસ્થિત રહી સેમીનારમાં સંબોધન કરશે. અા સિવાય કાર્યક્રમમાં અનેક દિગ્ગજ નેતાઓ-ઉદ્યોગપતિઓ પોતાનું મંતવ્ય અાપશે.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.