અમદાવાદ શહેરની ઘાટલોડિયા બેઠકમાં મતદારો તરીકે પાટીદારો મોટું વર્ચસ્વ ધરાવે છે તેઓ આ બેઠકના પરિણામ માટે નિર્ણાયક સાબિત થઇ શકે છે જો કે ભાજપ ઘાટલોડિયાને પોતાની બેઠક માને છે અને અત્યાર સુધી આ બેઠક પર ભાજપનો દબદબો જરૂર રહ્યો છે.
હાલ ચૂંટણીમાં 2012ના વર્ષમાં આનંદીબહેન પટેલ આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને જંગી બહુમતીથી જીતીને 2014મા ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકેનું ગૌરવ ભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું હતું
પરંતુ પાટીદાર અનામત આંદોલન શરૂ થયા પછીની સમગ્ર પરિસ્થિતિ જુદી છે પાટીદાર આંદોલનના જે પડઘા પૂર્વના વિસ્તારોમાં પડ્યા હતા તેવા જ ઘાટલોડિયા, ચાંદલોડિયા અને રાણીપ વિસ્તારમાં પડ્યા હતા અને મોટાભાગના પાટીદારો આજે પણ ભાજપ સામે ભારે નારાજ છે.
અગાઉ 2012માં નિરીક્ષકોની રજુઆતમાં વિસ્તારના તમામ કાર્યકરો એકી અવાજે આનંદીબહેનના નામની ઉમેદવાર તરીકે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી અને એક લાખ જેટલા મતથી સરાસરી કરી બહેને આ બેઠક ઉપર કબ્જો કર્યો હતો
પરંતુ અગાઉની ચૂંટણીમાં ભાજપ માટે આ બેઠકમાં વર્ચસ્વ ધરાવનારા પાટીદારો જેટલા પોઝિટિવ હતા તેટલા જ આ વખતે નેગેટિવ છે ઉપરાંત આનંદીબહેન ચૂંટણી જ નથી લડવાના જેવી જાહેરાતથી તેમના ટેકેદારો સમર્થકો પણ ભારે મુંઝવણ અનુભવી રહ્યા હતા જે ઉમેદવારની પસંદગી થાય તે જો અમિત શાહ જૂથના હશે તો પાટીદારો ઉપરાંત બહેનના સમર્થકો ટેકેદારો પણ નારાજ થશે.
મોટાભાગે આ બેઠક પર અમિત શાહ જૂથના ખાસ ગણાતા બિપીન પટેલ દ્વારા દાવો નોંધાઈ રહ્યો છે જો કે બિપીન પટેલનું નામ અગાઉ બાબુલાલ જમુનાદાસ પટેલની જેમ જમીનોના કાળા કારોબારમાં સપડાયેલા છે તેથી ભાજપ મોવડી મંડળ તેમના માટે ટિકિટ ફાળવવામાં સહેજે વિચાર તો કરશેજ પરંતુ અમિત શાહના નિકટકારોનો લાભ પણ બિપીન પટેલ ચોક્કસ મળશે પરંતુ પાટીદારો ઉમેદવાર ટિકિટ આપીને ભાજપે આ બેઠક ભૂલી જવાની રહેશે તેવું પણ રાજકીય પંડિતો ગણિત માંડી રહ્યા છે