નવી દિલ્હીઃ સરકાર તરફથી સામાન્ય માણસો માટે સારા સમાચાર મળી રહ્યા છે. સરકારે બચત યોજનાઓના વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. નાણામંત્રી નિર્મલા સીતારામને આજે સવારે એક ટ્વીટમાં આ માહિતી આપી. દેશના કરોડો લોકો માટે આ એક મોટી રાહત સમાચાર છે. 1 એપ્રિલની સવાર આમ આદમી માટે ખુશખબર લાવી છે. સ્મોલ સેવિંગ સ્કીમ્સ પર હવે તે જ જુના દરેજ વ્યાજ ફરીથી ઉપલબ્ધ રહેશે.
આ અગાઉ બુધવારે સરકારે 1 એપ્રિલ 2021થી સ્મોલ સેવિંગ સ્કીમ્સ પરના વ્યાજ દરમાં ઘટાડો કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો પરંતુ નાણાં પ્રધાને કહ્યું કે હવે તમામ યોજનાઓ પરનો વ્યાજદર તે જ રહેશે જે ગઈકાલે હતો.
સીતારામને કહ્યું કે, ભારત સરકારની નાની બચત યોજનાઓ પરનો વ્યાજ દર તે જ રહેશે, જે નાણાકીય વર્ષ 2020-2021 ના અંતિમ ક્વાર્ટરમાં હતો, એટલે કે માર્ચ 2021 નો વ્યાજ દર હજી પણ વધુ ઉપલબ્ધ થશે. જારી કરાયેલા ઓર્ડર પરત ખેંચવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સરકારે 1લી એપ્રિલથી અમલી બને તે રીતે બચત થાપણો પર વાર્ષિક ધોરણે મળતા વ્યાજના દરોમાં ધરખમ ઘટાડો કર્યો હતો. આ વ્યાજ દર વર્તમાન 4 ટકાથી ઘટાડીને 3.5 ટકા કરી દેવામાં આવ્યા હતો. આ ઉપરાંત પબ્લિક પ્રોવિડન્ડ ફંડ પર વાર્ષિક ધોરણે મળતા 7.1 ટકા વ્યાજને પણ 0.6 બેસિસ પોઇન્ટ ઘટાડી 6.4 ટકા કરી દીધા હતો. આ નવા રેટ 1 એપ્રિલ 2021થી અમલી બનવાનો હતો.
દીકરીના શિક્ષણ અને તેના લગ્ન માટેની મહત્વની યોજના સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજ દરમાં પણ મોટો ઘટાડો કરાયો હતો. અત્યાર સુધી આ યોજના પર 7.6 ટકાના દરથી વાર્ષિક વ્યાજ મળતું હતું. જેને હવે ઘટાડીને 6.9 ટકા કરી દેવાયું હતું. અર્થાત તેમાં 70 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરાયો હતો.