નવી દિલ્હી : કોરોના ચેપને કારણે કટોકટી સાથે સંઘર્ષ કરી રહેલી સ્થાનિક વિમાની કંપનીઓ માટે સારા સમાચાર છે. હકીકતમાં સરકારે એરલાઇન કંપનીઓને 60 ટકા સ્થાનિક ફ્લાઇટ્સ ચલાવવાની મંજૂરી આપી છે. આ અગાઉ 26 જૂને, તેમને 45 ટકા ફ્લાઇટ્સ ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, લોકડાઉનને કારણે દેશમાં લગભગ 2 મહિના સુધી ઘરેલુ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકાયો હતો, જેના કારણે આ ક્ષેત્રને ભારે હાલાકી ભોગવવી પડી હતી. જો કે સરકારના નિર્ણયથી એરલાઇન કંપનીઓના શેરને ફાયદો થયો છે.
ઈન્ડિગોના શેરમાં 3 ટકાનો વધારો
ઈન્ડિગો એરલાઇન્સની પેરેન્ટ કંપની ઇન્ટરગ્લોબના શેરમાં અંદાજે 3 ટકા તેજી અને તે રૂ. 1,275ના ભાવ પર પહોંચી ગયો છે. તે જ સમયે, સ્પાઈસ જેટનો શેરનો ભાવ પણ લગભગ 3 ટકા વધીને 52 રૂપિયા હતો. ચાલો તમને જણાવી દઈએ કે એરલાઇન્સ કંપનીઓના સ્ટોકમાં થોડા સમયથી મંદી હતી.
ભોજન પીરસવાની પરવાનગી આપવામાં આવી છે
તાજેતરમાં, કેન્દ્ર સરકારે વિમાન કંપનીઓને સ્થાનિક ફ્લાઇટ્સમાં પ્રી-પેકેજ્ડ નાસ્તા, ખાદ્ય અને પીણા પ્રદાન કરવાની મંજૂરી આપી છે. આ સાથે, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં ગરમ ખોરાક પીરસવાની મંજૂરી આપવામાં આવી છે. ખોરાક અથવા પીણાં પીરસતી વખતે ફક્ત એક જ વાર ઉપયોગમાં લેવામાં આવતી ટ્રે, પ્લેટો અને કટલરીનો ઉપયોગ કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે.
સ્ટાફને દર વખતે નવા ગ્લોવ્ઝ પહેરવા પડશે. આટલું જ નહીં, જો કોઈ મુસાફર ફ્લાઇટ દરમિયાન ફેસ માસ્ક પહેરવાનો ઇનકાર કરે તો એરલાઇન તેને ‘નો-ફ્લાય’ લિસ્ટમાં મૂકી શકે છે. આનો અર્થ એ છે કે તે મુસાફર પર હવાઈ મુસાફરી પર પ્રતિબંધ મૂકવામાં આવશે.