મોરબી ખાતે તાજેતરમાં જ “રજવી ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા મોરબીના અગ્રણીઓ આગેવાનો સાથે એક સામાન્ય મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં “રજવી એજ્યુકેશન ટ્રસ્ટ” સંસ્થા દ્વારા રાજકોટમાં સેવાકીય પ્રવૃત્તિ શરૂ છે જેના ભાગરૂપે રાહત દરે લોકો 17000 જેટલા સંસ્થા નો લાભ લઇ રહ્યા છે જેમાં ખાધસામગ્રી ની કીટ દરેક મેળવી રહ્યા છે. તેવી જ રીતે હવે મોરબીના દરેક વિસ્તારમાં અને ત્યારબાદ તાલુકા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં “રજવી એજ્યુકેશન સંસ્થા” દ્વારા રાહતદરે ખાધસામગ્રી કીટ ની વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સર્વે મુસ્લિમ સમાજ ના અગ્રણીઓ આગેવાનો અને “રજવી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ”ના હોદેદારો કાર્યકરો સભ્યો વિગેરે હાજર રહ્યા હતા જે ટૂંક સમયમાં મોરબી ના આગેવાનો હસ્તક રાહત દરે ખાધસામગ્રી કીટનું “રજવી એજ્યુકેશન ટ્રસ્ટ” દ્વારા કાર્ય કરવામાં આવશે. ટુંક સમયમાં જ મોરબી શહેર ખાતે દરેક વોર્ડ વાઈસ કેમ્પ નું આયોજન કરીને વધુ મા વધુ જરૂરિયાત મંદ મધ્યમ વર્ગના લોકોને રાહત દરે અનાજ ની કીટનો લાભ મળી રહે તેવુ આયોજન કરવામાં આવનાર છે.
Thursday, May 2