સુરેન્દ્રનગરમાં હાર્દિક પટેલે જનસભાને સંબોધી જેમાં સમાજના અનેક અગ્રણીઓ સાથે માનવ મહેરામણ ઉમટયુ હતું. આ સંમેલનમાં પાસના નેતાઓ તેમજ પાસ કન્વીનર હાર્દિક પટેલ પણ હાજર રહી સભાને સંબોધી હતી.ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહાર
હાર્દિક પટેલે ગુજરાત સરકાર અને ભાજપના ભષ્ટ્રાચાર પર પ્રહારો કર્યા હતાં. સુરેદ્રનગરમાં રોડ, રસ્તાની વાત સાથે અનામત આંદોલનના મુદ્દાઓ રજૂ કર્યા હતાં. અનામત આંદોલનની લડાઇ પાટિદાર સમાજ માટે કેટલી જરૂરી છે તે અંગે જણાવ્યુ હતું.
આ સંમેલનમાં હાર્દિકે જણાવ્યું હતું કે અલ્પેશ ઠાકોર, જિજ્ઞેશ મેવાણીના સમાજે તેમના વિશે એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી. જ્યારે મારા વિશે આપણા જ સમાજના લોકો કહે છે – હાર્દિક ખોટો, હાર્દિક ખરાબ, હાર્દિક એજન્ટ છે.
હવે જોવાનું એ છે કે પોતાનાજ સમાજમાં જે વિરોધ વધી રહ્યો છે તેને હાર્દિક કેવી રીતે ડામશે?