છેલ્લા કેટલાય સમયથી હાર્દિક અને કોંગ્રેસ વચ્ચે અનામત મુદ્દે કોકડું ગૂંચવાયું હતું। છેવટે લાંબી પ્રતીક્ષા બાદ આજે હાર્દિક પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. તેણે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ સાથે ચર્ચા ચાલતી હતી. સમાજની માગણી સાથે કોંગ્રેસે સહમતિ દર્શાવી છે. પાટીદાર સહિત બિન અનામત વર્ગને OBCને સમકક્ષ લાભ આપવાની કોંગ્રેસે ફોર્મ્યુલા આપી છે.ઉપરાંત હાલની 49 ટકા અનામતમાં ફેરફાર વગર અમલ કરાશે અને આ કોંગ્રેસ તેના મેનિફેસ્ટોમાં પણ આ મુદ્દાનો ઉલ્લેખ કરશે.
હાર્દિકે જણાવ્યું હતું કે કોંગ્રેસની ફોર્મ્યુલા અમે સ્વીકારી છે। કોંગ્રેસ પાર્ટીએ અમારા અધિકાર માટે સરકાર બનશે તો પેસિફીક સર્વેની તૈયારી દર્શાવી છે આ સિવાય બિન અનામત પંચને 2000 કરોડની ફાળવણી કરવાની કોંગ્રેસે તૈયારી બતાવી છે.પાટીદાર સહિત બિન અનામત વર્ગને OBCને સમકક્ષ લાભ આપવાની કોંગ્રેસે ફોર્મ્યુલા આપી છે.
હાલની 49 ટકા અનામતમાં ફેરફાર વગર અમલ કરાશે। કોંગ્રેસ સત્તામાં આવશે તો અનામત અંગે ખરડો લાવશે। કોંગ્રેસ બંધારણીય રીતે અનામત આપવાની ફોર્મ્યુલા આપી છે આ મુદ્દે ખોડલધામ અને ઉમિયાધામનું ફોર્મ્યુલાને સમર્થન છે
હાર્દિકે એમ પણ કહ્યું હતું કે હું રાજકારણ માટે નથી લડી રહ્યો હું અનામત આપવા માટે લડી રહ્યો છું.