ગુજરાત ચૂંટણી દરમિયાન પાકિસ્તાનના હસ્તક્ષેપ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પછી બન્ને દેશોના ટ્વિટર જંગ તેજ થઈ ગયો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ફેઝલ ખાને ટ્વિટર પર ભારતને સલાહ આપી હતી કે તે ચૂંટણીની ચર્ચામાં પાકિસ્તાનને ના ઘસડે, ષડયંત્ર કર્યા વગર તાકાતથી વિજય મેળવે.
પાકિસ્તાનના અા ટ્વિટ બાદ ભારતના પ્રવક્તા MOS સુભાષ ભામરેએ તેનો સણસણતો જવાબ અાપ્યો હતો કે અમે અમારી શક્તિને સારી રીતે જાણીયે છીએ, અમને કોઈ પણ સલાહની જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અારોપ લગાવ્યો હતો કે પાકિસ્તાન ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હસ્તક્ષેપ ન કરે.પાલનપુરમાં યોજાયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં પાકિસ્તાની સેનાના પૂર્વ મહાનિર્દેશક સરદાર અરશદ રફીક દ્વારા કથિત રીતે કરેલી અપીલ મુદે પણ સવાલ ઉઠાવ્યા હતા.