કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે કહ્યું છે કે પોષણ યોજનાનો લાભ મેળવવા માટે બાળકો પાસે આધાર કાર્ડ હોવું ફરજિયાત નથી અને માત્ર માતાના આધારનો ઉપયોગ કરીને જ આ યોજનાનો લાભ લઈ શકાશે.
સ્પષ્ટતા શા માટે આપવી પડીઃ મંત્રાલય તરફથી આ સ્પષ્ટતા એક રિપોર્ટના જવાબમાં આવી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કરોડો બાળકોને પોષણયુક્ત ખોરાક મેળવવા માટે ટૂંક સમયમાં આધાર કાર્ડની જરૂર પડશે. મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે બાળક માટે આધાર હોવું ફરજિયાત નથી અને તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે માતાના આધારનો ઉપયોગ કરીને બાળકને પોષણ યોજનાનો લાભ મળે.
A media report claims that the Aadhar card of children is mandatory for availing the benefits of the POSHAN scheme#PIBFactCheck
▶️This claim is #fake
▶️The Aadhar card of children is not mandatory
▶️The Aadhar ID of the mother is required for the Poshan Tracker@MinistryWCD pic.twitter.com/KMBVNccEnh
— PIB Fact Check (@PIBFactCheck) June 30, 2022
આ સિવાય પીઆઈબીએ તેના ‘ફેક્ટ ચેક’માં પણ સ્પષ્ટતા કરી છે કે આધાર કાર્ડ ફરજિયાત હોવાનો દાવો નકલી છે.
જણાવી દઈએ કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે તાજેતરમાં જ પ્રસ્તાવ મૂક્યો હતો કે પોષણ ટ્રેકર દ્વારા આંગણવાડી સેવાઓને ડિજીટલ કરવામાં આવે જેથી કરીને પૌષ્ટિક ખોરાકની પહોંચની સિસ્ટમ પર નજર રાખી શકાય.
11.80 કરોડ બાળકોને આવરી લેવામાં આવ્યા: ગયા વર્ષે સરકારે 2021-22 થી 2025-26 સુધીના પાંચ વર્ષના સમયગાળા માટે ‘શાળાઓમાં રાષ્ટ્રીય પીએમ પોષણ યોજના’ ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. સરકારે જણાવ્યું હતું કે દેશભરની 11.20 લાખ શાળાઓમાં ભણતા લગભગ 11.80 કરોડ બાળકો આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.