ભવિષ્યપુરાણ, પદ્મ પુરાણ અને મહાભારત પ્રમાણે અભ્યાંગ સ્નાન કરવાથી ઉંમર વધે છે. અભ્યાંગ એટલે તેલમાં ઔષધી મિક્સ કરીને માલિશ કરવું અને પછી સ્નાન કરવું જોઇએ. આવું કરાવથી લક્ષ્મીજી સહિત, યમરાજ અને અન્ય દેવી-દેવતા પ્રસન્ન થાય છે. વિદ્વાનો પ્રમાણે આવું કરવાથી શરીરની ગંદકી દૂર થાય છે. આયુર્વેદ પ્રમાણે સરસિયાના તેલની માલિશ કરવાથી હાડકા અને માંસપેશીઓ મજબૂત થાય છે. મહાભારતમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, સોમ, મંગળ, બુધ અને શનિવારે તેલ માલિશ કરવી ફાયદાકારક રહે છે. આ સિવાય પૂજા-પાઠ અને વિશેષ ઇચ્છાઓ પૂર્ણ કરવા માટે ભગવાન ભૈરવ, શનિદેવ અને હનુમાનજીના મંદિરમાં તેલનો દીવો પ્રગટાવવો જોઇએ. સાથે જ, યમરાજને પ્રસન્ન કરવા માટે ઘરના ઊંબરે પણ સરસિયાના તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે. આ પરંપરા પાછળ માન્યતા છે કે, આવું કરવાથી ઘરમાં રહેતાં લોકોની ઉંમર વધે છે, સાથે જ, બીમારીઓ અને પરેશાનીઓ પણ દૂર થાય છે. શરીર ઉપર સરસિયાના તેલથી માલિશ કરવાથી રોમ છિદ્ર ખુલ્લા રહે છે. તેલ માલિશથી શરીરનો લોહીનો સંચાર પણ વ્યવસ્થિત રહે છે. તેમાં ઓલિક એસિડ અને લીનોલિક એસિડ મળી આવે છે, જે વાળને વધારવા માટે સારું હોય છે. તે વાળની જડને પોષણ આપે છે. સરસિયાના તેલની માલિશ કરવાથી શરીરની માંસપેશીઓ મજબૂત થાય છે. તે શરીરમાં ગરમી પેદા કરવામાં મદદગાર સાબિત થાય છે. તેમાં વિટામિન ઈ પણ સારી માત્રામાં હોય છે. જે ત્વચાને અલ્ટ્રાવાઇલેટ કિરણો અને પ્રદૂષણથી બચાવે છે.
Friday, May 17