અમરેલી જીલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. રાજુલા, ખાંભા, સરંભડા, તરવડા, બાબાપુર સહિતના સહિતના વિસ્તારોમાં વરસાદ વરસાદ વરસ્યો છે. તો કુંકાવાવ પંથકના નાજાપુર, પીઠડીયા, વાઘણીયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સમગ્ર વિસ્તારનાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. વાવણી બાદના વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
ખાંભાના ડેડાણમાં પણ વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે. અશોક નદીમાં પૂર આવતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. નદીના પુરને જોવા લોકો ઉમટી પડ્યા છે.\અમરેલી-રાજુલા જાફરાબાદ પંથકમાં 2 ઇંચ કરતા વધુ વરસાદ તૂટી પડતા સાંજણાવાવ ગામની સ્થાનિક નદીમા પુર આવ્યુ અને કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. જાફરાબાદ કાતર સરોવડા સહિત અમરેલી અને ખાંભાનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટુ પડયુ હતું. ખેડૂતોના ખેતર પાણી પાણી થતા ખેડૂતોના ચહેરા હરખાઇ ઉઠયા હતા.