પુલવામામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર
શ્રીનગરમાં લોકોની હત્યામાં સંડોવાયેલો એક આતંકવાદી પુલવામામાં સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.
પોલીસે આ માહિતી આપી. પોલીસે કહ્યું કે સુરક્ષાદળોને પુલવામાના વહીબાગ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે માહિતી મળી હતી અને ત્યારબાદ પોલીસે વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
તેમણે કહ્યું કે સર્ચ ઓપરેશન બાદમાં એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું, જેમાં એક આતંકવાદી માર્યો ગયો. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે ટ્વીટ કર્યું હતું કે, “તાજેતરમાં પુલવામામાં થયેલા એન્કાઉન્ટરમાં લોકોની હત્યામાં સામેલ એક આતંકવાદી માર્યો ગયો છે.”