જામનગરમાં સોમવારે રાત્રે પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસ કોન્સ્ટેબલ ભરત જાદવે પત્ની જાગૃતિબેન સાથે આપઘાત કરી લેતા ચકચાર મચી છે. આ ઘટના બાદ 6 માસનો પુત્ર નોંધારો બન્યો છે. આ અંગે જામનગર સિટી સી પોલીસ સ્ટેશને ગુનો નોંધી પરિવારજનોની પૂછપરછ હાથ ધરી છે.ભરત જાદવ જામનગરના પંચકોશી બી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. ભરતે પત્ની સાથે સામુહિક આપઘાત શા માટે કર્યો, તે માટે પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે બંનેના મૃતદેહોને હાલ પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે. આપઘાત કરનાર ભરત કે તેની પત્ની પાસેથી હાલ કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી. આથી આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે.
Sunday, May 19