જામનગરમાં અંધાશ્રમ આવાસમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા વિરલવાળા નામના 22 વર્ષના યુવાને પોતાના ઉપર હુમલો કરવા અંગે તેમજ પોતાના મકાનની બહાર રાખેલા સામાનમાં આગ લગાવી દઇ કપડા વગેરે સળગાવી નાખવા અંગે તેમજ બહાર પડેલા મોટર સાયકલમાં ધોકા ફટકારી તોડફોડ કરી નાખવા અંગે જામનગરના અંડર બ્રિજ પાસે રહેતા યુગલ જીતુભાઈ હિંગોરીયા, સોકત અનવર ભાઈ મલેક, લાલો કિશોરભાઈ બારોટ અને તેના અન્ય સાગરિત સામે સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જે ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર પોતાની પત્ની જ્યોતિબેન કે જેણે અગાઉ આરોપી યુગલ બારોટ સાથે મૈત્રી કરાર કર્યા હતા પરંતુ તે લગ્ન સંબંધ છૂટા થઈ ગયા હતા ત્યાર પછી જ્યોતિબેન સાથે ફરિયાદી વિરલભાઇએ લગ્ન કરી લીધા હતા અને બંને પતિ-પત્ની તરીકે સાથે રહેતા હતા.
જેનો ખાર રાખીને આરોપી યુગલ જીતુભાઈ હિંગોરીયા પોતાના અન્ય સાગરીતો સોકત અનવર ભાઈ મલેક લાલો કિશોરભાઈ બારોટ તથા અન્ય એક અજાણ્યા શખ્સને સાથે લાવીને પોતાના ઘરે ધસી આવ્યો હતો અને પોતાના પર લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી જ્યારે ઘરની બહાર પડેલા પ્લાસ્ટિકના ભંગારના સામાનમા આગ લગાડી દીધી હતી જેના કારણે કપડાં વગેરે પણ બળી ગયા હતા.
ઉપરાંત ઘરની બહાર પાર્ક કરેલા મોટરસાયકલમા પણ ધોકા પછાડી તોડફોડ કરી નાખી નુકસાન પહોંચાડ્યું હતું. આ બનાવ અંગે પોલીસ ફરિયાદ કરી હતી સીટી-સી ડિવિઝન પોલીસે ફરિયાદના અનુસંધાને આરોપી અને તેનાં સાગરિતો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.