અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળીની મોડી રાતે ટ્રેનમાં પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી હત્યા કરાતાં ભારે ખળભળાટ મચી ગયો છે. ભૂજથી દાદર જતી સયાજીનગરી એક્સપ્રેસના એસી કોચમાં જયંતી ભાનુશાળી અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે શાર્પશૂટરે સાઈલેન્સરવાળી રિવોલ્વરથી છાતી અને મોઢા પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
જયંતિ ભાનુશાળીનો મૃતદેહ અમદાવાદ સીવીલ હોસ્પીટલ લવાયો, મૃતદેહ અસારવા સિવીલ હોસ્પીટલ પીએમ માટે લવાયો છે. સાથે કરેલ મુસાફરોની પણ પુછપરછ કરવામાં આવી હતી.