સુરેન્દ્રનગર જિલ્લામાં જાણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી હોય તેમ એક પછી એક લૂંટ, હત્યા, છેડતી, મારામારી અને બળાત્કારના બનાવો બની રહ્યા છે ત્યારે જોરાવરનગર વિસ્તારમાં રહેતી અને અભ્યાસ કરતી સગીરાને છેલ્લા ઘણા સમયથી પરણિત શખ્સ દ્વારા છેડતી કરવામાં આવતી હોવા છતાં પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી હાથ ન ધરતા પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો.
જયારે આ અંગે વઢવાણ પોલીસ મથકનો સંપર્ક કરતા ફરજ પરના પીએસઆઇ દ્વારા વઢવાણ ખાતે ધાર્મિક પ્રસંગે અગાઉના ઝઘડા બાબતે મારામારી અંગે બંને પક્ષના 8 શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું ….જો કે વઢવાણ પોલીસ દ્વારા છેડતી અંગે ફરિયાદમાં ઉલ્લેખ ન કર્યો હોવાનું અને સગીરાની છેડતીનો બનાવ પણ ન બન્યો હોવાનું જણાવતા પોલીસ દ્વારા ખોટી ફરિયાદ નોંધી આરોપીને છાવરતા હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.