ભારતમાં હરવા-ફરવા માટે ઘણા સુંદર અને ઐતિહાસિક સ્થળો છે.ભારતમાં ઘણા બધા પ્રાચીન અને ઐતિહાસિક સ્થળો છે, જેનીસાથે કોઈ ને કોઈ વાર્તા જોડાયેલી છે.ઐતિહાસિક વસ્તુઓ વિશે જાણવા માટે ઇચ્છુક લોકો અાવા સ્થળો પર ફરવાનો પ્લાન બનાવશે.આજે અમે તમને અાવા જ એક ઐતિહાસિક સ્થળ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
આમતો દિલ્હીમાં ફરવા માટે ઘણાં સુંદર અને ઐતિહાસિક સ્થળો છે પરંતુ અમે વાત કરી રહ્યા છીએ મોગલ સમ્રાટ હુમાયૂના ખુબસુરત મકબરા વીશે.તો અાવો અાજે હુમાયૂના ખુબસુરત મકબરાની કેટલીક અજાણી અને રસપ્રદ વાત કરીએ.દિલ્હી સ્થિત હુમાયુના મકબરાને તેમના મૃત્યુના 9 વર્ષ પછી તેમની વિધવા બેગમ દ્વારા બનાવાયો હતો.
આ ખુબસુરત મકબરાના નિર્માણ માટે વાસ્તુકારોને અફગાનિસ્તાનના હેરાત શહેરથી બોલાવાયા હતા. તેની રચના કરતા 8 વર્ષ લાગ્યા હતા, જે એક મકબરા માટે ખૂબ વધારે સમય છે. યમુના નદીના કાંઠા પર આ મકબરાનો ખૂબ જ સુશોભિત અને કલાત્મક રીતે બનાવવામાં આવ્યો છે. 30 એકર સુધી ફેલાયેલા આ મકબરાની આસપાસ ચોતરફ હરિયાળી જ હરિયાળી છે. આ મકબરાને બનાવવા માટે સૌથી વધુ બલુઅા પથ્થરનો ઉપયોગ થયો છે. આજ સુધી કોઇ પણ ઐતિહાસિક ઈમારતને બનાવવા માટે અાટલા અને અાવા પથ્થરોનો ઉપયોગ થયો નથી.તેની સુંદરતાને કારણે તેને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ જાહેર કરવામાં આવ્યું છે.તમે અહીં મકબરામાં ચતુર્ભુજાકાર એટલે કે ચારબાગની સુંદરતા પણ જોઈ શકો છો. આ પારસી શૈલીમાં બનાવેલ બગીચો સમગ્ર દક્ષિણ એશિયામાં આ પ્રકારનો પ્રથમ બગીચો છે. લોકો આ મકબરો ઇતિહાસનું મહત્વ જાણવાની સાથે સાથે સુંદર નજારાની મજા પણ લે છે