સપ્તપુરીમાંથી એક જગન્નાથપુરીમાં અષાઢ માસની બીજને નિકળવાવાળી રથયાત્રા આ વર્ષે 4 જુલાઇ 2019એ પ્રારંભ થાશે. આ પાવન યાત્રામાં ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન જગન્નાથ, અને તેમનાા ભાઇ બલરામ અને બહેન સુભદ્રા રથ ઉપર સવાર થઇને નિકળશે. કરોડો વર્ષોથી ઉજવવામાં આવેલ આ ઉત્સવમાં લાખોની સંખ્યામાં શ્રધ્દાળુ ઉમટી પડે છે. રથયાત્રા ઉત્સવ દરમિયાન ભગવાન જગન્નાથને રથ બેસાડી પુરા નગરમાં ભ્રમણ કરાવવામાં આવશે.
તો આવો જાણીએ કેમ કાઢવામાં આવે છે જગન્નાથ રથ યાત્રા અને શુ છે આની પાછળની કહાની-
વિશ્વ પ્રસિધ્ધ આ રથયાત્રામાં સૌથી પહેલા બલરામના રથ તાલધ્વજ પ્રસ્થાન કરે છે. ત્યાર પછી બહેન સુભદ્રાજીના પદ્મ રથ ચાલવાનુ શરૂ થાય છે. સૌથી છેલ્લે જગન્નાથજીનો રથ ખેંચવાનુ શરૂ થાય છે. જગન્નાથજીની રથયાત્રા ગુંડિચા માતા મંદિર પહોંચી સંપન્ન થાય છે. આ એ મંદિર છે જ્યા વિશ્વકર્માએ ત્રણ દેવ પ્રતિમાનુ નિર્ણામ કર્યુ છે. આ જગ્યાને ભગવાનની માસીનુ ઘર પણ માનવામાં આવે છે. આ મંદિરમાં ભગવાન એક અઠવાડિયુ સુધી રહે છે. ભગવાનને માસીના ઘરે સ્વાદિષ્ટ પકવાનનો ભોગ લગાવવામાં આવે છે. જે પછી જ્યારે ભગવાન બીમાર પડે તો તેમને પથ્યનો ભોગ લગાવવામાં આવે છે. પછી ભગવાન જલ્દી સારા થઇ જાય છે. રથયાત્રાના ત્રીજા દિવસે ભગવાન જગન્નાથને ગોતતા લક્ષ્મીજી મંદિર આવે છે. પરંતુ દ્રૈતાપતિ દરવાજો બંધ કરી દેશે. ત્યાર પછી લક્ષ્મીજી નારાજ થઇને રથના પૈડા તોડી નાખે છે. અને તેમના મંદિરે પાછા ચાલ્યા જાય છે. ત્યાર પછી ભગવાન જગન્નાથ લક્ષ્મીજીને મનાવવા ત્યા જાય છે. અને ભગવાન ઉપહાર આપીને પ્રસન્ન કરવાની કોશિશ કરે છે. માન્યતા છે જે દિવસે ભગવાન લક્ષ્મીજીને મનાવી લેછે ત્યારે તે દિવસને વિજયા દશમી મનાવવામાં આવે છે. અને પછી ભગવાન મંદિર પાછા ચાલ્યા જાય છે.