ભારતીય જનતા પાર્ટીની OBC મોરચાની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં હાજરી આપવા રાષ્ટ્રીય ઓબીસી અધ્યક્ષ ડો.કે લક્ષમણના નેતૃત્વમાં રાષ્ટ્રીય કારોબારીની બેઠક યોજાઇ ત્યારે OBC મોરચાના રાષ્ટ્રી અધ્યક્ષ ડો.કે લક્ષમણે જણાવ્યું હતું કે, દેશમાં કોઈ પણ રાજ્યોની ચૂંટણીમાં OBC સમાજ ખૂબ સારું કામ કરશે અને આગામી 5 રાજ્યોની ચૂંટણીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કચડાયેલા વર્ગ માટે યોજનાને લઈને દેશનો સમાજ આજે એક જૂથ થયો છે.
રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.કે લક્ષમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ બસ પરિવારની રાજનીતિ કરે છે. જ્યારે યુપીમાં હોય કે કોઈ પણ રાજ્યમાં મોદીજી, યોગીજી લોકોના કામો કરે છે. બાકી નોન ભાજપ રાજ્યોમાં ખૂબ તકલીફ છે. જેમ કે પશ્ચિમ બંગાળમાં OBC સમાજમાં હિન્દૂ કરતા મુસ્લિમોને વધુ મહત્વ આપવામાં આવે છે. ઠીક છે એક બે જે મુસ્લિમ OBC સમાજ છે તેને આરક્ષણનો લાભ મળે પરંતુ આખા મુસ્લિમ સમાજને લાભ આપવો એ યોગ્ય નથી. આજે તમામ દેશમાં સરખો કાયફો થાય એ બાબતે વડાપ્રધાનને અમે આ બેઠક બાદ રજુઆત કરીશું.
OBC મોરચાના રાષ્ટ્રી અધ્યક્ષ ડો.કે લક્ષમણે જણાવ્યું હતું કે દેશમાં કોઈ પણ રાજ્યોની ચૂંટણી માં OBC સમાજ ખૂબ સારું કામ કરશે અને આગામી 5 રાજ્યોની ચૂંટણીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કચડાયેલા વર્ગ માટે યોજનાને લઈને દેશનો સમાજ આજે એક જૂથ થયો છે.