રીના બ્રહ્મભટ્ટ
લાગે છે કે, આ વખતે સાચે ન ભાજપ માટે આ ચૂંટણી એક અગ્નિ પરીક્ષા લઇ રહી છે. ભાજપ બાર સાંધેને તેર તૂટે તવા હાલ અત્યારે બીજેપીના થયા છે. લોક આંદોલનના નેતાઓ એ એક પછી એક કૉંગ્રેસના શરણે ગયા।. ત્યારથી શરુ થયેલ વિવાદ અટકવાનું નામ લેતો નથી. અને ઉલટાની આજે સ્થિતિ એ છે કે, મતોનું અને ઇવન પબ્લિકનું પણ બહુ જ ઝડપથી ધ્રુવીકરણ થઇ રહ્યું છે. લોકો ભાજપ, કોંગ્રેસ અને આ નેતાઓથી પણ છછેડાઈ ચુકya છે. હજુ ચૂંટણીઓ આવશે ત્યાં સુધી આમ કેટલા રંગ ઉમેરાશે। મતલબ સાફ છે કે, તોડ-જોડની આ રાજનીતિ કોઈનું પણ ભલું કરી શકે એમ નથી. ત્યારે બીજેપીની સમસ્યા એ છે કે, તે જેવો વિકાસનો રાગ આલાપવા જાય છે કે, એને આ રાગ ભારે પડી જાય છે કે એનો ફિયાસ્કો થઇ જાય છે. અને ભાજપે નીચાજોણું થાય છે.
અમદાવાદમાં હાલ એશિયાની સૌથી મોટી ગણાતી હોસ્પિટલમાં પાછલા 48 કલાક માં 20 જેટલા બાળકોના મોત થયા છે. જેને પગલે રાજ્યમાં અને ખાસ તો અમદાવાદમાં સન્નાટો છવાઈ ગયો છે. ત્યારે લોકોમાં ભારે રોષ છે. અને વિકાસના નામે થતા અસંખ્ય કાર્યક્રમો અને માત્ર ને માત્ર પ્રચાર અને પ્રસાર માટે લોકોના નાણાંના થતા દુરુપયોગ અંગે ફરી એકવાર ચર્ચાનો દોર શરુ થયો છે. વળી કોંગ્રેસને ફરી એકવાર એક નવો ઇસ્યુ મળી ગયો છે. જેને સળગતો રાખી કોંગ્રેસ રાજકીય રોટલા શેકવાનો ભરપૂર પ્રયાસ કરશે. અને આ મામલે કોંગ્રેસે એ પ્રકારે સીવીલ પર હલ્લાબોલ કર્યો કે, સિવિલ સુપ્રિડિટેન્ડેન્ટ ઓફિસ છોડી છુપાઈ ગયા.
ખેર, પાટીદાર નેતાઓ સાથે કોંગ્રેસની સાંઠ-ગાંઠ ખુલી ગયા પછી લોકો પણ સમજી ચુક્યા છે કે, એક પણ પાર્ટીને પબ્લિકના હિતોમાં કે પબ્લિકની સુખાકારીમાં કોઈ રસ નથી. બલ્કે એમની રાજકીય ખીચડી પકવવામાં જ રસ છે. પરંતુ લોકો આખરે કરે તો પણ શું? કેમ કે , એમની પાસે કોઈ બેટર ઓપ્શન પણ તો નથી. ત્યારે અત્રે એ નોંધવું જરૂરી છે કે, એકતરફ ભાજપ જ્યાં વિકાસના નામે મત માંગવા નીકળે છે ત્યાં બીજે તરફ પબ્લિકની સમસ્યામાં ઓચિંતો વધારો થાય છે. અને આવી સ્થિતિનો ભાજપ પાસે પણ કોઈ જવાબ નથી હોતો।
બાય ધ વે, આ મામલે તમે ચૂંટણીની વાત છોડો તો પણ એક વાત નિશ્ચિત છે કે, જ્યાં ગુજરાતના વિકાસના મોડેલ તરીકે દર્શાવવવામાં આવી રહ્યું છે ત્યાં બીજી તરફ પાછલા 3 વર્ષમાં 1,07,532 જેટલા બાળકોના મૃત્યુ થયું છે. જે પછાતમાં પછાત દેશની પણ શરમ ગણાય..અને એમાં પણ ગુજરાત દેશ માટે જયારે રોલ મોડેલ છે ત્યારે, જો ગુજરાતમાં par month શરેરાશ 1689 જેટલા બાળકોના મોત થતા હોય તો લોકો એ પણ એમ જ કહેવું પડે કે, તમારો વિકાસ તમારી પાસે જ રહેવા દો. ભાઈ અગર રાજ્યમાં જન્મ લેતા પ્રત્યેક 1000 બાળકોમાં થી 30 બાળકો જો મમ્ર્ત્યુ પામતા હોય તો એ વિકસિત સમાજ માટે થપ્પડ સમાન છે. વિશેષમાં આ અંગે, કેગ ના ઓડિટરોએ ગુજરાત સરકારને ચેતવી હતી. તેમ છતા ધ્યાન અપાયું નહિ. અને છેવટે અનેક માસુમો મોતના ખપ્પરમાં હોમાયા. વધુમાં આ મામલે સરકારે 8 જેટલી યોજનાઓ જાહેર કરી છે. તેમ છતાં આવા બનાવો બને છે. ખેર ત્યારે વિકાસના નારા વચ્ચે માસુમના મોતનો મામલો ભાજપએ ભારે પડી શકે છે.