સુરત : સુરતના વરાછા વિસ્તારમાં આવેલ સોસાયટીના રહીશો છેલ્લા ચાર વર્ષથી રસ્તાની સમસ્યાને લઈ પીડાઈ રહયા છે.કોર્પોરેશન ,સ્થાનિક ધારાસભ્ય સહિત કોર્પોરેટરોને રજુવાત કરવા છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં આવતા આખરે સોસાયટીવાસીઓએ મોરચો માંડ્યો છે..અને આગામી ચૂંટણીઓ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.
વીઓ : વરાછા સ્થિત ભોળા નગર સોસાયટીના આ રહીશો છે ,જ્યા સોસાયટીમાંથી પસાર થતા યોગ્ય રસ્તાની માંગ સાથે સુત્રોચાર કરી રહ્યા છે.ભોળા નગર સોસાયટીમાં આશરે પાંચ હજાર જેટલા લોકોની વસ્તી આવેલી છે.અહીં આવેલ ખડબળતા રસ્તાઓન કારણે સ્થાનિક લોકો ભારે સમસ્યાનો સામનો કરી રહ્યા છે.કમરતોડ રસ્તાઓને લઈ મહિલાઓ થી માંડી વૃદ્ધ વયના લોકોએ મુશ્કેલીનો સામનો કરી રસ્તો પસાર કરવો પડી રહ્યો છે.કાચા રસ્તામાં પડેલા ખાડા – ટેકરાઓના કારણે સોસાયટીના વાહન ચાલકોની કમર તૂટી રહી છે.સ્થાનિક ધારાસભ્ય ,કોર્પોરેટર સહિત મનપા કમિશનર ને રજુવાત કરવા છતાં હજી સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું.જેને લઈ આજ રોજ સોસાયટીની મહિલાઓ સહિત પુરુષો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને સૂત્રોચ્ચાર કરવાની સાથે આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.આ સાથે જ સરકારની વિકાશશીલ વાતો સામે પોતાનો ઉગ્ર રોષ પ્રગટ કર્યો હતો..