નવી દિલ્હી : આ 71 વર્ષીય એવી મહિલાની વાર્તા છે જેણે ક્યારેય જીવનમાં દુખાવો અનુભવ્યો નથી. જો તમે તેમની વાર્તા સાંભળશો તો તમને આશ્ચર્ય થશે. જો કેમરોનને કહેવામાં આવ્યું હતું કે બાળકના જન્મ દરમિયાન તેમને ઘણો દુખાવો થશે. પરંતુ ઘણાં કલાકો પસાર થઇ ગયા પરંતુ તેમને કશું થયું જ નહીં. તેઓ કંઈપણ અનુભવી રહ્યા ન હતા. આશ્ચર્યજનક વાત એ છે કે, આ સમય દરમિયાન તેમને અચેતનતા (બેભાન કરવા) માટે કોઈ દવાઓ આપવામાં આવી નહોતી. કેમેરોને તે ઘટનાને યાદ કરી, “મને લાગતું હતું કે મારા શરીરમાં કંઈક ફેરફાર થઇ રહ્યા છે, પરંતુ તેનાથી મને કોઈ દુખાવાનો અનુભવ થયો નહીં. માત્ર એવું લાગ્યું કે ‘ગદગદી’ થતી હોય.એવું લાગતું હતું.
કેમરોનને સમગ્ર શરીરમાં નહીં, પરંતુ શરીરના કેટલાક ભાગોમાં જ દુખાવાનો અનુભવ થતો હતો. હવે વૈજ્ઞાનિકોને આનું કારણ જાણવા મળ્યું છે. પ્રકાશિત બ્રિટિશ જર્નલ ઓફ એનેસ્થેસિયામાં વૈજ્ઞાનિકોએ કેમરોનની આ સ્થિતિનું કારણ અજ્ઞાત જનીનના ફેરફારોને માનવામાં આવ્યું. વૈજ્ઞાનિકો આશા રાખે છે કે આ શોધથી કેમરોનની સારવારમાં મદદ મળશે. જો કે, તેઓનું માનવું છે કે, આ પરિવર્તન બાબત સાથે પણ સંકળાયેલું હોય શકે છે કેમરોને જિંદગી ભર થોડી ચિતા અને ડર શા માટે અનુભવ્યું અને શા માટે તેનું શરીર કોઈપણ પ્રકારની સ્થિતિમાંથી જલ્દી બહાર આવી જાય છે.
આ સ્ટડી તે પ્રમુખ ઘટનાઓ વચ્ચે આવી છે જેમાં એ વાત પર વિવાદ ચાલી રહ્યો છે કે, જવાબદાર તરીકે દુખાવાની સારવાર કેવી રીતે કરાવી શકાય. ગુરુવારે ન્યુયોર્ક સ્ટેટે ઓપીઓઈડ ઓક્સીટોસિનના નિર્માતા સેક્લર ફેમીલીસમે એક કેસ દાખલ કર્યો હતો. યેલના ન્યુરોલોજીસ્ટ સ્ટીફન જી વેક્સમેન અનુસાર, તે આ વાતનો વધુ એક રિમાઇન્ડર હતું કે અમને ક્રોનિક પીડા માટે ખૂબ જ ઓછા નશાવાળા વિકલ્પોની જરૂર છે.
કેમરોનની પરિસ્થિતિઓને કારણે વૈજ્ઞાનિકો તેમના જનીનોની તપાસ કરવા તૈયાર હતા, તેઓએ પાંચ વર્ષ પહેલાં શરૂ કર્યું હતું. તેણી સ્કોટલેન્ડમાં તેના પતિ સાથે સુખી, સામાન્ય જીવન જીવતી હતી. એક હાથના ઓપરેશન બાદ એક ડૉક્ટરને આશ્ચર્ય થયું હતું કે તેને કોઈ પીડા થઈ રહી નથી અને તેને કોઈ પેનકિલર જોઈતી ન હતી. જેના પછી કેમરોને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા, જેમાં કેમરોનની આશ્ચર્યજનક સ્થિતિ સામે આવી.
65 વર્ષની ઉંમરે, તેમના હિપ રિપ્લેસમેન્ટની આવશ્યકતા હતી કારણ કે તેમને કંઇપણ અનુભવાતું જ ન હતું. જ્યારે તેમના હિપ બગડવાની શરૂઆત થઈ, ત્યારે તેઓ જાણતા ન હતા. અહીં સુધી કે, બળતરા, છોલાવું (પીલીંગ) કે કટીંગ પછી પણ કેમરોનને કોઈ પીડા થતી નથી. કેમેરોનને ત્યારે જ જાણ થતી હતી જ્યારે તેનું કોઈ અંગ બળતું હોય અને તેની વાસ આવે અથવા તેના પતિને લોહી વહેતુ દેખાય.
કેમરોનને આ થવા પાછળનું કારણ FAAH-OUT છે. કેમરોનની અંદર એક ડિલિશન છે જે જિનના ફ્રંન્ટને રીમુવ કરી દે છે. જેના કારણે કેમરોનને આ સમસ્યા છે.