પોલીસસ્ટેશન માહિલપુર એક ગામમાં એક અજીબ મામલો સામે આવ્યો છે. ગામમાં એક લગ્ન સંપન્ન થયા બાદ જ્યારે પરિવારના લોકો ગામના સરપંચ પાસે લગ્નના કાગળીયા પર સહી કરવા પહોંચ્યા તો, કથિત રીતે સરપંચે સ્પષ્ટ કહી દીધુ છે, જ્યારે તમે મને લગ્નમાં બોલાવ્યો જ નથી તો, હું લગ્નના કાગળીયા પર શા માટે સહી કરું ? વીડિયોમાં સરપંચ વારંવાર કહે છે કે, આ મારો મામલો છે બાદમાં જ્યારે આ મામલો ચર્ચામાં આવ્યો તો, જાણવા મળ્યુ કે, સરપંચ સહી કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, કેટલાક દિવસ પહેલા જ ગામમાં એક લગ્ન સંપન્ન થયા હતા. કોરોના સંક્રમણના કારણે સરકારી આદેશનુ પાલન કરતા પરિવારના લોકોએ લગ્ન સમારંભમાં માત્ર નજીકના સંબંધીઓને જ આમંત્રિત કર્યા છે. હવે જ્યારે લગ્ન સંપન્ન થઈ જાય છે તો, પરિવારના લોકો લગ્નના કાગળીયા પર સરપંચની સહી લેવા માટે સરપંચ પાસે પહોંચ્યા હતા. જ્યારે વારંવાર વિનંતી કરવા છતા પણ સરપંતે લગ્નના કાગળીયા પર સહી કરવાની ના પાડવા લાગ્યા તો, પરિવારના કેટલાર લોકોને તેની વીડિયો બનાવી લીધો જે વાયરલ થઈ ગયો છે.
Monday, May 20