ગુજરાતના કોંગ્રેસના અમરેલી જિલ્લાના સાવરકુંડલાની ખેત ઉત્પન્ન બજાર સમિતિની કચેરી ખાતે કોંગ્રેસના શાંતિ ન ઈચ્છતાં બનાખોરોની બેઠક મળી હતી. જેમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને ધારાસભ્ય વિરજી ઠુમ્મર સામે બળવાના સમીકરણ આકાર લઈ રહ્યાં છે.
ખાતે સહકારી આગેવાન અને વિરજી ઠુમર તથા પરેશ ધાનાણી સામે ખૂલ્લામાં વિરોધ કરીને પક્ષમાં ગેરશિસ્ત આચરવા માટે જાણીતા દિપક માલાણીની આગેવાનીમાં પૂર્વ ધારાસભ્ય પ્રતાપ વરૂ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખો સહિતના જુના પીઢ કોંગ્રેસના નેતા કે જે હવે પ્રજામાં કોઈ સ્થાન ધરાવતાં નથી તેઓની ચિંતન બેઠક થઈ હતી. અમરેલી ભાજપ કોઈ પણ રીતે અનીતિ અપનાવીને પણ કોંગ્રેસને તોડી ફોડી નાંખવા માંગે છે.
પરેશ વિરજી કોંગ્રેસ (પી.વી.સી.) થઈ ગઇ હોવાનું પૂર્વ ધારાસભ્ય પ્રતાપ વરૂ એ ચિંતન બેઠકમાં જણાવ્યું હતું. અગાઉ ધાનાણી અને ઠુમ્મર સામે ધરણા કરનાર દિપક માલાણીએ બેઠકમાં ચિંતન કરવાના બદલે આરોપો મૂકતાં કહ્યું હતું કે, ધાનાણી અને ઠુમ્મર પરિવારવાદ ચલાવે છે. અમરેલીમાં કોંગ્રેસ તેના મૂળ સિદ્ધાંતો ભૂલી ગઈ છે. 4 ધારાસભ્યો કોંગ્રેસ છોડી ગયા તેનું કારણ ધાનાણી અને ઠુમ્મર છે.
બેઠકમાં અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખો હાજર હતા. કાઠી સમાજના કહેવાતા નેતા વરૃ હવે ફક્ષને ભારે નુકસાન કરી રહ્યાં હોવાનું પ્રદેશન નેતોઓ માની રહ્યાં છે. ગુજરાતના કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ પ્રતાપ વરૂએ જિલ્લાના કાઠી ક્ષત્રિય સમાજનું સંમેલન બોલાવીને આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને હરાવવા માટે કાઠી સમાજનો ઉપયોગ કરી રહ્યાં છે જેમાં માંડ 2 હજાર કાઠીઓ હાજર રહેતાં વરૃનું ધોવાણ થયું છે. લોકસભાની ચૂંટણીમાં જે પક્ષ એક લાખ લોકો, કાઠી સમાજની પડખે રહેશે તેને સહકાર આપવાની વાત કરી હતી.
આ વાતનો મતલબ કે તેઓ કોંગ્રેસ જ ટેકો નહીં આપે પણ ભાજપને પણ આપી શકે છે. તેમને પરેશ ધાનાણી સામે વ્યક્તિગત વાંધો છે. બન્ને વચ્ચે સારા સંબંધો નથી. તેથી તે સમાજને આગળ કરી રહ્યાં હોવાના આરોપો તેમના પર લાગી રહ્યાં છે. વર્ચસ્વ જળવાઈ તે જરૂરી છે. કાઠી સમાજની અવગણના પણ થાય છે, તે માટે સમાજે હવે જાગૃત થવું પડશે. એવો સૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો.કોંગ્રેસ સામે સમાજનું સંમેલન બોલાવીને ધાનાણી સામે નવો મોરચો ખોલ્યો છે. છતાં પક્ષ દ્વારા તેમની સામે કોઈ પગલાં લેવાતાં નથી.