[slideshow_deploy id=’32592′]પાટણમાં પાયોનિયર સ્કૂલ કે.સી. પટેલ વિદ્યા સંકુલ ખાતે વાર્ષિકોત્સવનું અાયોજન કરવામાં અાવ્યુ હતુ. સંસ્થાના પ્રમુખ કે.સી. પટેલે મહેમાનોનું સ્વાગત પ્રવચન કરીને સંસ્થાની માહિતી અાપી હતી અને જણાવ્યુ હતુ કે પાયોનિયર સ્કૂલમાં અધ્યતન અાધુનીક ગુરુકુળ બની રહે અને પાટણ, બનાસકાંઠા તથા કચ્છમાંથી અાવતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળે છે. સંસ્થામાંથી અભ્યાસ કરતા બાળકો ડોક્ટર, ઈજનેર તથા ઉચ્ચ શિક્ષણમાં સારા ગુણ સાથે અેટમીશન મેળવેલ છે અને ઉત્તર ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ પરિણામ મેળવેલ છે.
કૌશિકભાઈ પટેલ અને શ્રીમતી અંજલીબેન રૂપાણીએ સંસ્થાના પ્રમુખ કે.સી. પટેલનું શિક્ષણ પ્રવૃત્તિની સાથે બાળકોનો જે સર્વાંગી વિકાસ કરવામાં અાવે છે તેને ભારપૂર્વક વર્ણન કરીને અભિનંદન પાઠવ્યા હતા.
પદ્મશ્રી મનોજ જોષીએ સંસ્થાને ગ્રીન કેમ્પસ અને અતી અાધુનીક ગુરુકુળ સાથે સરખામણી કરીને બાળકોને રૂચી પ્રમાણે અાગળ વધવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઅોને જણાવ્યુ હતુ.
અા પ્રસંગે બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, અમદાવાદ સિવિલ હોસ્પીટલનાસુપ્રીટેન્ડન્ટ અને એડિશનલ ડાયરેક્ટર મેડીકલ એજ્યુકેશન ડૉ. એન એમ પ્રભાકર, જાણીતા ગુજરાતી કલાકાર ધારાસભ્ય હિતુભાઈ કનોડીયા, ભારત સરકારના દશરથભાઈ પટેલ, કાંકરેજના ધારાસભ્ય કિર્તિસિહ વાધેલા ક્લેક્ટર અાનંદ પટેલ વગેરે હાજર રહ્યા હતા.