ગુજરાતમાં ભાજપને વિજય અપાવવા માટે પીએમ મોદી ર૭ નવેમ્બરથી મોરચો સંભાળીને રાજયના વિવિધ વિસ્તારોમાં ૧પ જેટલી સભાઓને સંબોધન કરશે.પ્રારંભિક કાર્યક્રમ અનુસાર પીએમ મોદી ર૭મીએ ભુજ, અમરેલી, વાપી અને કામરેજમાં રેલીઓને સંબોધન કરશે.ર૯મીએ નવસારી, ભરૂચ, જુનાગઢ અને ભાવનગરની મુલાકાત લઇ શકે છે. ૩જી ડિસેમ્બરે તાલાલા, મોરબી અને રાજકોટમાં સભાને સંબોધન કરે તેવી શક્યતા છે . ૪ ડિસેમ્બર સુરેન્દ્રનગર, પાલીતાણા, જસદણ અને જામનગરમાં સભાઓને સંબોધન કરશે.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદી સૌરાષ્ટ્રમાં ૧૧ રેલીઓ અને દક્ષિણ ગુજરાતમાં ૪ રેલીઓને સંબોધન કરશે. આ વિસ્તારોમાં પાટીદારોની મોટી વસ્તી છે. દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરતમાં જીએસટી વિરૂધ્ધ મોટાપાયે દેખાવો થયા હતા. અહીના વેપારીઓને પોતાની તરફ લાવવા ભાજપને ઘણી મહેનત કરવી પડી રહી છે.
ગુજરાતમાં રર વર્ષથી ભાજપનું શાસન છે અને ભાજપને આ વખતે પાટીદાર અને કોંગ્રેસ તરફથી ટક્કર મળી રહી છે એવામાં ભાજપ પીએમ મોદીની વધુને વધુ રેલીઓ યોજવા ઇચ્છે છે સામાન્ય રીતે પીએમ મોદી ૧૦ વિધાનસભા બેઠકો માટે એક રેલી કરતા હોય છે.
આમ આ વખતે ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ પોતાના કદમાં કેમ વધારો કરવો તે સંદર્ભે વધુ કામ કરી રહી છે મોદી આ વખતે ગુજરાતમાં ર૭ નવેમ્બરથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે