અમરેલીના બગસરાના પીઠડીયા ગામે તાંત્રિક વિધિના નામે છેતરપિંડી કરનાર ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. તાંત્રિક વિધિના બહાને અંધશ્રદ્ધાની માયાજાળ રચી ખેડૂત પાસેથી રૂપિયા 24.80 લાખની પડાવી લીધા હતા. આ ટોળકી પાસેથી રોકડ સહિત રૂપિયા 15.68 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ઘટનામાં સંડોવાયેલા વઘાસિયા બાપુ નામના શખ્સ સહિત પાંચ લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે.
Monday, April 29