ભુવનેશ્વર: યસ બેંક (Yes Bank)માં સંકટને કારણે ભગવાન જગન્નાથ મંદિરના પૂજારી અને ભક્તો ચિંતિત બન્યા છે. ખરેખર, બેંકમાં મંદિરના 592 કરોડ રૂપિયાથી વધુની ડિપોઝિટ છે.
નોંધનીય છે કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) એ ગુરુવારે યસ બેંક પર ઘણા નિયંત્રણો લાદ્યા છે, જે સંકટમાં છે. આ અંતર્ગત ખાતા ધારકો હવે યસ બેંકમાંથી 50 હજાર રૂપિયાથી વધુ ઉપાડી શકશે નહીં. આ ઉપાડની મર્યાદા 3 એપ્રિલ 2020 સુધી અમલમાં રહેશે.
આ સિવાય આરબીઆઈએ યસ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરના અધિકારને રોકતા એસબીઆઈના ભૂતપૂર્વ ડીએમડી અને સીએફઓ પ્રશાંત કુમારની પણ એક મહિના માટે એડમિનિસ્ટ્રેટર તરીકે નિમણૂક કરી છે.
અત્યાર સુધીમાં બે તબક્કામાં બેંકે 52 કરોડ રૂપિયા આપ્યા છે. તેમાંથી બેંકે પ્રથમ તબક્કામાં 18 કરોડ અને બીજા તબક્કામાં 34 કરોડ પરત આપ્યા હતા. બેંકે 18 માર્ચે રૂ. 371 કરોડ, 25 માર્ચે 33 કરોડ, 28 માર્ચે 123 કરોડ રૂપિયા શ્રી મંદિર પ્રશાસનને બાકીની રકમ પરત આપવા જણાવ્યું હતું.
ભક્તોની વધતી ચિંતાને જોઇને રાજ્યના કાયદા પ્રધાન પ્રતાપ જેનાએ કહ્યું હતું કે, પૈસા એક નિશ્ચિત થાપણ તરીકે બેંકમાં રાખવામાં આવ્યા છે, તે બચત ખાતામાં જમા કરવામાં આવ્યા નથી. તેમણે કહ્યું કે સરકારે આ નાણાં યસ બેંકથી રાષ્ટ્રીયકૃત બેંકમાં સ્થાનાંતરિત કરવાનો નિર્ણય કરી લીધો છે. આ ફિક્સ્ડ ડિપોઝિટનો સમયગાળો આ મહિનામાં સમાપ્ત થઈ રહ્યો છે.
જેનાએ જણાવ્યું હતું કે તેમણે આ અંગે હજી સુધી બેંક અધિકારીઓ સાથે વાત કરી નથી, પરંતુ તેમને આશા છે કે યસ બેંકમાંથી પૈસા કોઈ પણ સમસ્યા વિના ટ્રાન્સફર કરવામાં આવશે.